Cli
sanatanandswaminarayan

સનાતન ધર્મના સંતો તેમજ સ્વામિનારાયણના સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો થયો વાયરલ.

Uncategorized

હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

 હાલમાં આ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.એટલું જ નહિ હિન્દુ ધર્મના સંતો પણ આ બાબતે વિરોધ કરી રહ્યા છે.જો કે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સનાતન ધર્મના સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો એક મિટિંગ દરમિયાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે.જાણકારી અનુસાર હાલમાં જ સાળંગપુર મંદિર વિવાદને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સનાતન ધર્મના સંતો વચ્ચે એક મિટિંગ બોલાવવામાં આવી હતી.

જો કે સંતોના ત્યાં પહોંચ્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંત હાજર ન હોવાનું કહેવામાં આવ્યું હતું.જેને લઇને સનાતન ધર્મના સંતો રોષે ભરાયા હતા.જાણકારી અનુસાર મુખ્ય સંત કોઠારી સ્વામીના આવ્યા બાદ પણ બંને પક્ષના સંતો વચ્ચે બોલાચાલી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *