અત્યારની સૌથી મોટી ખબર આસામના જોરહાટ એરબેઝ પર થયેલા AN-32 વિમાન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ભારતીય વાયુસેનાના આ પરિવહન વિમાનના ક્રેશ થવાથી દેશે પોતાના પાંચ બહાદુર જવાનોને ગુમાવ્યા છે. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાંચ વીર એર વોરિયર્સે દેશસેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
જોકે આ દુખદ અકસ્માતમાં વિમાનના કો-પાઇલટનો જીવ બચી ગયો છે, પરંતુ તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સમગ્ર મામલાની તપાસ માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીના આદેશ આપી દીધા છે.
જોરહાટ એરબેઝ પર થયેલી આ મોટી દુર્ઘટનાથી વાયુસેના અને સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હવે તપાસ દ્વારા એ જાણવા પ્રયાસ કરવામાં આવશે કે AN-32 વિમાન ક્રેશ થવા પાછળના ચોક્કસ કારણો શું હતા.
બીજી તરફ દેશ પોતાના પાંચ વીર જવાનોના બલિદાનને નમન કરી રહ્યો છે. રક્ષામંત્રી Rajnath Singhએ આ ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પાંચ એર વોરિયર્સના બલિદાનને રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ નમન કર્યું છે.