બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ અનોખી ઘટના બની છે જેમાં એક એક કરી ઘણા એક્ટર ફસાઈ ગયા છે 20 ફેબ્રુઆરી ની રાતે મુંબઈ માં એક ઇવેન્ટ મહેફિલ યોજાઈ હતી જે ઇવેન્ટમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો સહિત સેલેબ્સ હાજર રહ્યા હતા ફિલ્મ અભિનેત્રી રેખા જેવી એ જમાના ની સુપર સ્ટાર અભિનેત્રી સાથે.
આજના જમાના ની આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ આ ઇવેન્ટમાં સામેલ હતી આ એવોર્ડ શો માં દાદા સાહેબ ફાલ્કે ના નામે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ માટે અભિનેત્રી આલીયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને ફિલ્મ બ્રમ્હાસ્ત્ર માટે રણબીર કપૂર ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અને બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ ધ કશ્મીરી ફાઈલ ને એનાયત કરવામાં આવ્યો બધી બાજુ એ ચર્ચાઓ થવા પામી હતી કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેએ એક સાથે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મેળવ્યા છે હવે એવી વિગતો સામે આવી રહી છે કે આ એવોર્ડ નકલી છે અને એક સ્કેમ છે જેમાં બધા જ એક્ટરો ફસાઈ ચૂક્યા છે અસલી દાદા સાહેબ.
ફાલ્કે એવોર્ડ માત્ર ભારત સરકાર જ એનાયત કરી શકે છે સુચના અને પ્રસારણ મંત્રાલય તરફ થી અપાતા આ સન્માનને પોતે દેશના રાષ્ટ્રપતિ આપે છે છેલ્લી વાર આ એવોર્ડ આશા પારેખને બોલીવુડ ફિલ્મી કેરિયર મા આપેલા યોગદાન માટે એનાયત કરવા મા આવ્યો હતો આ એવોર્ડ સેરેમની દિલ્હી માં યોજાય છે આશા પારેખ પહેલા આ એવોર્ડ.
રજનીકાંત અને અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો પરંતુ મુંબઈમાં ઘણી કંપનીઓ દાદા સાહેબ ફાલ્કે ના નામે એવોર્ડનું નકલી વિતરણ કરી રહી છે અને પોતાની દુકાનો ચલાવે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની છે એવોર્ડ આપવામાં આવ્યા છે કે દાદા સાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડ છે.
જે એવોર્ડ રાખી સાવંત અશી ખાન અને ઘણી ટીકટોક સ્ટાર ને પણ આપવામાં આવેલ છે માત્ર એક કંપની નહીં પરંતુ આ પ્રકારના નકલી એવોર્ડ બનાવીને ઘણી બધી કંપનીઓ એક્ટરોનો ફાયદો ઉઠાવવામાં લાગી ચૂકી છે ગયા વર્ષે આ એવોર્ડ રણવીર સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ને.
પણ આપવામા આવ્યો હતો આ ગોરખ ધંધો મુંબઈમાં સન્માનિત એવોર્ડ ના નામે ચાલી રહ્યો છે અને એક્ટરો બેવકૂફ બની વિચારી રહ્યા છે કે તેમને અસલી એવોર્ડ આપવામાં આવ્યો છે પરંતુ આ વચ્ચે મોડેલ નિકિતા કહારે સૌથી પહેલું પગલું ભરીને આ નકલી એવોર્ડ પાછો આપવાનું એલાન કરી દીધું છે સાથે નિકિતાએ.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને પણ આ વાત જણાવી અને નકલી એવોર્ડ પાછા આપવાની રજૂઆત કરી છે જેનાથી આ નકલી સ્કેમ બહાર આવી શકે બીજી તરફ ઘણા બધા પત્રકારોએ પણ એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે હવે જોઈએ છીએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વિશે શું જવાબ આપે છે.