ભગવાન અને બ્રાને લઈને આપેલ વિવાદિત બયાનને લઈને ટીવી એક્ટર સ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે ભોપાલની શ્યામલા હિલ પોલીસ સ્ટેશનમાં સ્વેતા તિવારી સામે ફરિયાદ નોંધાઈ છે સ્વેતા સામે ધાર્મિક લાગણી દુભાયાનો આરોપ છે હવે ફરિયાદ નોંધતાંજ સ્વેતાએ પોતાનું બયાન આપીએ માંફી માંગી છે.
સ્વેતાએ પોતાના બયાનમાં કહ્યું કે મને જાણવા મળ્યું કે મારા એક કોએક્ટરના રોલને લઈને મારા બયાનને ખોટું સમજવામાં આવ્યું જયારે તમે મારી પુરી વેબ સિરીઝ જોશો તો તમને ખબર પડશેકે મેં બયાન મારા સહયોગી સૌરભરાજ જૈનને લઈને આપ્યું હતું જેઓ પહેલા મહાભારત સીરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર નિભાવી ચુક્યા છે.
લોકો પાત્રનું નામ એક્ટરના નામ સાથે જોડે છે એટલે મેં મીડિયામાં વાતચિત દરમિયાન એક ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો હવે તેને પુરી રીતે ખોટું સમજવામાં આવ્યું જેને જોઈને મન દુઃખી થાય છે મારો ભગવાનમાં અતૂટ વિશ્વાસછે હું ભૂલથી પણ ક્યારે એવી વાત નહીં કહું જેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે.
મારા શબ્દો અથવા કામોથી કોઈને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો ન હતો એટલે હું બયાન માટે માફી માગું છું જેનાથી ભૂલમાં ઘણા લોકોને ઠેસ પહોચી છે હકીકતમાં આ બયાન એક સ્ટેજ પર આપ્યું હતું જેમાં સ્વેતાએ કહ્યું હતું કે ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે હવે સ્વેતાએ એ બાબતની ચોખવટ અને માફી માંગી છે.