ડોક્ટર બનવું હતું પરંતુ ન બની શક્યા તો હીરા ઘસવા લાગી ગયા વકીલ બનવું હતું પરંતુ પરીક્ષામાં ફેલ થતાં તો કોઈકની ગુલામી કરવા લાગી ગયા આવી રીતે આપણે ઘણા જુવાનોના જીવન બદલતા જોયા છે ભારતમાં બે ચાયવાળાના નામ ખૂબ જ પ્રખ્યાત છે એક છે નરેન્દ્ર મોદી અને બીજો છે એમબીએ ચાઈવાળા તેણે કહ્યું છે કે તમે પરીક્ષામાં નાપાસ થઈ ગયા એનો મતલબ એ નથી કે તમે જિંદગીમાં નાપાસ થઈ ગયા છો તેનું નામ પ્રફુલ બિલ્લોરે છે 2007માં તેને સારી કોલેજમાં એડમીશન ન મળતા તે હતાશ અને નિરાશ થઈ ગયો પરંતુ તેણે હાર ન માની તેને અમદાવાદની ગલીમાં ચાયનો ધંધો ચાલુ કરી દીધો.
આજે તે ચાર કરોડની કંપનીનો માલિક છે આજે તેના પાસે નામ-દામ અને કામ દરેકનો મોલ છે મધ્યપ્રદેશથી અમદાવાદ સુધીની તેની કહાની જાણવા લાયક છે તેણે વીસ વર્ષની ઉંમરે બેચલર ઓફ કોમર્સ કર્યું હતું ત્યારબાદ તેને એમબીએનો અભ્યાસ કરવો હતો તેને બિઝનેસમેન બનવું હતું તેના માતા-પિતા મધ્યમ વર્ગીય હતા પરંતુ તે તેમના છોકરા માટે પૈસા ખર્ચવા તૈયાર હતા તેણે પરીક્ષા આપી અને તેમાં સારા માર્કસ ન આવતા તેને સારી કોલેજમાં એડમીશન ન મળ્યું અને આગળ જતાં તેની ચાર કરોડની કંપની બની ગઈ.
તેને કોઈ ચાલુ કોલેજમાંથી એમબીએ કરવું ન હતું અને જે મોટી કોલેજ હતી તેમાં તેને દાખલો મળ્યો નહીં તેથી તે એક અઠવાડિયા સુધી પોતાની રૂમમાં જ બેસી રહ્યો પરંતુ તેણે હાર ન માની તેને નવો વ્યવસાય કરવાનું સૂઝ્યું તેને ખબર પડી કે એમબીએ કરવાથી જ કોઈ બિઝનેસમૅન નથી બની જતું હું મારા દિમાગથી બિઝનેસમેન બનીશ તેણે તેના પિતાને આ વાત કહી ન હતી તેણે ફક્ત એટલું જ કહ્યું કે હવે મને બીજી શહેરોની કોલેજો જોવી છે અને ત્યાં જઈને એમબીએનો અભ્યાસ કરવો છે અને તે નીકળી પડ્યો તે બેંગ્લોર મુંબઈ જેવા ઘણા શહેરોમાં ફર્યો અને આખરે અમદાવાદમાં આવ્યો અને તેણે મેકડોનલ્સમાં નોકરી કરવાનું સૂઝ્યું ત્યાં તેને ઝાડુ-પોતા ટેબલ સાફ કરવાનું કામ આપવામાં આવ્યું તેણે ત્રણ મહિના સુધી ત્યાં નોકરી કરી અને તેણે આસપાસની દરેક વસ્તુઓને ધ્યાન રાખી અને તેને ખબર પડી કે અમદાવાદના લોકો ચાઇના ખૂબ જ શોખીન છે.
તેણે આ કામ ઉપર મહિના સુધી ધ્યાન આપી અને ત્યારબાદ તેના પિતાને ફોન કરીને કહ્યું કે તેને તેની ભણતર માટે 8000 ની જરૂર છે અને તેના પિતાએ પૈસા મોકલ્યા ત્યારબાદ તે વાસણની દુકાને ગયો અને ત્યાં દરેક વસ્તુઓ જે ચાઈને લાગતી હોય તે વાસણોની ખરીદી કરી અને અમદાવાદની જે આઇઆઇએમ કોલેજમાં તેને એમબીએ કરવું હતું તે જ કોલેજની બહાર ચાયનો ગલ્લો શરૂ કરી દીધો દિવસ દરમિયાન તે પોતાની નોકરી કરે.
તેના આટલા બધા વખાણ થવાને કારણે ત્યાંના લોકોએ તેને ત્યાંથી કાઢી મુક્યો પરંતુ તેણે હાર ન માની તેણે એક હોસ્પિટલની બહાર પાછો ગલ્લો ચાલુ કર્યો અને ત્યાં પણ તેની ચાય એટલી જ પ્રખ્યાત થઈ કારણ કે તે સારી સર્વિસ આપતો હતો જેના કારણે લોકોને ખુબજ ગમતું હતું અને તેના વખાણ થતાં હતા તેણે તેના માતા-પિતાને કહ્યું નહોતું કે તે ચાર વેચી રહ્યો હતો પરંતુ એક દિવસ એક યુટયૂબરે તેનો વિડીયો યુટ્યુબમાં નાખ્યો હતો અને એ વિડીયો તેના માતા-પિતાએ જોયો ત્યારે તેમને ખબર પડી અને તે પહેલા નારાજ થયા પરંતુ તેની કમાણી જોઈને તેમણે તેને સાથ સહકાર આપ્યો અને ધીરે ધીરે પ્રફુલ તેની સફળતાના શિખરે પહોંચવા લાગ્યો તે લોકોનું મનોરંજન કરવા લાગ્યો.
એક દિવસ તેણે ફ્રી ચાઇ આપી હતી તે દિવસે તે લોકોનો લોકપ્રિય બની ગયો હતો લોકો લગ્ન પ્રસંગમાં પણ પ્રફુલને બોલાવવા લાગ્યા અને આમ તેની ચાય ખુબ જ પ્રખ્યાત થઈ હવે તે આ કામના 50000 રૂપિયા લે છે અને દેશમાં કુલ ૧૧ જગ્યાએ એમબીએ ચાઈવાળાની શાખાઓ ખુલી ગઈ છે ચાર વર્ષના સમય દરમ્યાન તેની કંપની ચાર કરોડની બની ગઈ છે હવે પ્રફુલને ઘણી કોલેજો પ્રવચન આપવા માટે બોલાવે છે પ્રફુલ બધાને કહે છે કે હંમેશાં મોટી વસ્તુથી કામ ચાલુ કરવું એ જરૂરી નથી પરંતુ તમે નાની વસ્તુથી ચાલુ કરશો તો તમને અંદાજ આવશે કે તમને આગળ જતાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને કઈ રીતે સફળતાના શિખરે પહોંચી શકાય છે.