15 જૂન 2001 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા એક ફિલ્મ નહીં પરંતુ લોકોની સંવેદના લોકોની લાગણી હતી
હવે ફરી એકવાર તારાસિહં અને સકીના ની જોડી દર્શકોની વચ્ચે આવી રહી છે ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર 2 બાવીશ વર્ષ ના લાંબા સમય બાદ 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે
જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પસંદ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા સાલ 2001માં બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી આ ફિલ્મ ઘણા દિવસો સુધી થિયેટરોમાં ધૂમ મચાવતી હતી ફિલ્મની કહાની ને.
દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી ફિલ્મોની કહાની ભારત પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી જેમાં તારા સિંહની ભૂમિકામાં સની દેઓલ પાકિસ્તાન માં પોતાની પત્ની શકીના ને લેવા પહોંચ્યા હતા અને પાકીસ્તાની આર્મી અને પોલીસ ને પડકાર નાખી પાકિસ્તાન માંથી ભારત પોતાની પત્ની અને બાળકો સાથે પરત ફર્યા હતા.
ફિલ્મ માં વિલન ના પાત્રમાં અમરીશ પુરી જોવા મળ્યા હતા જેઓ પાકિસ્તાની અસરફ અલીના પાત્રમાં દમદાર ભુમીકા ભજવી રહ્યા હતા આ ફિલ્મ માં પાકિસ્તાન સામે પડકાર નાખી ભારત અને પાકિસ્તાન ના ભાગલા વખતે ની કહાની જણાવવી એ આશાન નહોતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો માં કામ કરવું એ પણ કોઈ અભિનેતા માટે આશાન નહોતું.
પરંતુ સની દેઓલ પાકિસ્તાન સામે પડકાર નાખવા તૈયાર થયા અને આ ફિલ્મ માં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકચાહના મેળવી 22 વર્ષ પહેલા એ ફિલ્મ નું નિર્દેશન અનિલ શર્મા એ કર્યું હતું અને એજ અનિલ શર્મા ફરી આ ફિલ્મ ની કહાની આગળ વધારવા સની દેઓલ ને લઇ ને ગદર ટુ મા આવી રહ્યા છે.
પરંતુ ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે સૌથી પહેલા ગદર એક પ્રેમ કથામાં તારા સિંહ ની ભુમીકા માટે અનિલ શર્મા એ ગોવિંદા ને પસંદ કર્યા હતા પરંતુ જ્યારે ગોવિંદા ને ફિલ્મ ગદર એક પ્રેમ કથા થી સ્ક્રિપ્ટ સંભડાવી જ્યારે તેઓ એટલા બધા ડરી ગયા કે તેમને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી અનિલ શર્મા ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને.
ગોવિંદાનું શૂટિંગ ફિલ્મ મહારાજા નું ચાલી રહ્યું હતું એ દરમિયાન પહોંચ્યા હતા અને શૂટિંગ સેટ પર અનિલ શર્મા એ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સ્ક્રિપ્ટ ગોવિંદા ને સંભડાવી તો ગોવિંદા ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી ખૂબ ડરી ગયા અને ગભરાઈ ગયા હતા અને ગોવિંદા એ આ સમયે પાકિસ્તાનની વિરુદ્ધ અભિનય કરવાની ના પાડી હતી .
તેઓ એ અનિલ શર્મા ને જણાવ્યું હતું કે હું મુખ્યત્વે કોમેડી ફિલ્મો માં અભિનય કરું છું અને પાકીસ્તાન સામે અભિનય કરી મારા ફિલ્મી કેરિયરને જોખમમાં મૂકવા નથી માગતો એમ જણાવી આ ફિલ્મ માં કામ કરવાની ના પાડી દીધી હતી જોકે અનિલ શર્મા એ પોતાના ઈન્ટરવ્યુ માં એમ પણ જણાવ્યું હતું કે સની દેઓલ જ તેમની.
પહેલી પસંદ હતા પરંતુ સની દેઓલ ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી તેઓ ગોવિંદા પાસે ગયા હતા પરંતુ સની દેઓલ ને સાઈન કરી તેમને સની દેઓલની અગાઉની ફિલ્મો શૂટ કર્યા બાદ જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું ભારત અને પાકિસ્તાનનો સેટ બનાવવામાં આવ્યો જે તે સમયે ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ અનિલ શર્માએ હાર ના માની અને.
ફિલ્મ ગદર એક પ્રેમ કથા બની ને તૈયાર થઈ આ ફિલ્મ ને એટલો લોકોનો પ્રેમ મળ્યો છે એ સમયે ભારતભરના થીયેટરો માં બે મહીના સુધી ફિલ્મ ની ટીકિટ મેળવવી પણ ખુબ મુશ્કેલ હતી જે ફિલ્મ ની સફળતા બાદ હવે અનિલ શર્મા ફિલ્મની કહાની આગળ વધારવા આવી રહ્યા છે જેમાં સની દેઓલ ફરી પાકીસ્તાન સામે ત્રાડ નાખતા જોવા મળશે.