Cli
aishvariya abhishek breaking news

ઐશ્વર્યા અને અભિષેકના ઝઘડાને લઈને પરિવારના નજીકના વ્યક્તિએ કર્યો ચોકાવનારો ખુલાસો…

Breaking

ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચન સાથે અણબનાવ હોવાની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. હવે એવી ખબર આવી રહી છે કે, અમિતાભ બચ્ચને અનફોલો કર્યા બાદ, પૂર્વ મિસ વર્લ્ડે તેમનું ઘર છોડી દીધું છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર તેમના ફેન્સને તકલીફ આપી રહ્યા છે. જે 16 વર્ષથી આદર્શ કપલ તરીકે લોકોની વચ્ચે લોકપ્રિય રહ્યા છે.

બોલીવુડ સ્ટાર મોટા ભાગે પોતાના લગ્ન અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહેતા હોય છે. સેલેબ્સની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી છુટાછેડાની ઘટનાઓ વધી છે. ત્યારે આવા સમયે ક્યાસ લગાવવો મુશ્કેલ છે કે ક્યારે અને કયા સેલિબ્રિટીનું બ્રેકઅપ થઈ જાય. હવે ઐશ્વર્યા રાયના છુટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. શું આ સાચું છે કે, બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે છુટાછેડા લેવા જઈ રહી છે.

ઐશ્વર્યાના છુટાછેડાની અફવા ત્યારે ફેલાઈ હતી, જ્યારે અમિતાભ બચ્ચને પોતાની વહુને ઈંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. હવે ફરીથી અભિષેક અને ઐશ્વર્યના છુટાછેડાના સમાચારે ફેન્સને હતાશ કરી દીધા છે.

ચર્ચાઓ ચાલી રહી છે કે અભિષેક અને ઐશ્વર્યની વચ્ચે વર્ષોથી મતભેદ છે, પણ તે હજુ સુધી લોકોની સામે આવ્યું નથી. હવે કહેવાય છે કે, બંને વચ્ચે મતભેદ ગંભીર સ્થિતિ સુધી પહોંચી ગયો છે. સંબંધ જ્યારે ખરાબ સમયમાં પહોંચી જ્યારે બાળકોના ભવિષ્ય વિશે વિચારતા પણ કપલે ઈચ્છા ન હોવા છતાં પણ અલગ થવું પડે છે. શું ઐશ્વર્યા અને અભિષેક પણ આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે?

ઐશ્વર્યા અને અભિષેક ફક્ત પોતાની દીકરીના કારણે સાથે છે. બંને વચ્ચે વર્ષોથી કેટલાય મતભેદ છે રિપોર્ટ અનુસાર, બચ્ચન પરિવારના નજીકના સૂત્રે જણાવ્યું છે કે તેમનો સંબંધ હવે એક નાજુક મોડ પર પહોંચી ગયો છે ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારનું ઘર છોડી દીધું છે. કહેવાય છે કે, એક્ટ્રેસ આખો દિવસ પોતાનો સમય પોતાની મમ્મી અને બચ્ચન પરિવારની વચ્ચે વહેંચે છે. આવા સમાચાર છે કે, જયા અને ઐશ્વર્ય વચ્ચે કેટલાય મતભેદ અને સમસ્યાઓ છે બંનેએ વર્ષોથી આ મતભેદોનું નિવારણ લાવ્યા નથી. કહેવાય છે કે, અભિષેક બચ્ચને દીકરા અને પતિ તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવી નથી.

ઐશ્વર્યા અને અભિષેક પોતાના છુટાછેડાની ઘોષણા કરવાની અણી પર છે, પણ હાલમાં તેઓ છુટાછેડા લેશે નહીં. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય મામલાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. તેઓ સત્તાવાર રીતે હાલમાં કોઈ મોટો ખુલાસો કરવાથી દૂર રહેવા માગે છે.

ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચન પહેલી વાર પોતાના લગ્નની અંગૂઠી પહેર્યા વિના લોકોની વચ્ચે પહોંચી, તો બંને વચ્ચે છુટાછેડાની ચર્ચાઓ ફેલાવા લાગી. એક્ટરને પણ ઘણી વાર વેડિંર રીંગ વિના જોવા મળ્યો હતો. બંનેને એકસાથે રહેતા 16 વર્ષ વીતી ગયા. આરાધ્યાના મમ્મી-પપ્પાને તેમના ફેન્સ આદર્શ કપલ તરીકે જોઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *