બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ભરાતા મેળામાં થી લુંટ ની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે મેળામા હથીયારો સાથે ઘૂસેલી રાજસ્થાની ટોળકી એ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો અને એક યુવક પર ટુટી પડી માર મારને લુટં ચલાવી હતી.
યુવકને ખૂબ જ ઢોર માર્યા બાદ તે મ!રી ગયો છે તેમ સમજી અને તેને ખેતરમાં ફેંકી અને ચાલ્યા ગયા હતા સમગ્ર ઘટના અનુસાર અમીરગઢ મા પસાર થતી બનાસ નદીના કિનારે વિશ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે દર શિવરાત્રીના રોજ અહીંયા મેળો ભરાય છે હજારો શ્રદ્ધાળુઓ મેળામાં દર્શનાર્થે ઉંટી પડે છે.
એ વચ્ચે ગત શિવરાત્રી દરમિયાન પણ અહીં મેળો ભરાયો હતો આ મેળામાં અમીરગઢના ખુનીયા ગામના સરપંચ અણદાભાઈ વાસિયા નો પુત્ર પંકજ આવેલો હતો તે મેળામાં મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં ગયો હતો આ દરમિયાન બીજી તરફ રાજસ્થાનની 60 થી 70 લોકોની એક ટોળકી.
જીવલેણ હ!થિયારો સાથે મેળામાં લૂંટના ઈરાદે ઘુસી આવી હતી આ દરમિયાન પંકજ પાસેથી લોકોએ મોબાઇલ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો પરંતુ પંકજ મોબાઈલ ના આપતા તે લોકોએ પંકજને ખૂબ માર માર્યો અને માર મારી અધમુવો કરી અને ખેતરમાં ફેંકીને તેઓ તેને લૂંટીને ચાલ્યા ગતા ઘટનાનીજાણ થતા અણદા ભાઈ એ.
પંકજને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો હતો અણદા ભાઈએ જણાવ્યું હતું કે જે ટોળાંએ માર મારી લુંટ ચલાવી હતી તે કયા ગામ છે તે ઓળખ થઈ ગઈ છે પરંતુ હાલ હોસ્પિટલમાં છીએ પોલીસને જાણ કરી નથી સોશિયલ મીડિયા પર મેળાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો આ બાબતે અમીરગઢ પોલીસ સાથે મીડિયા વાત.
કરતાં જણાવ્યું હતું કે હજુ સુધી પોલીસ પાસે આ ફરિયાદ આવી નથી આ વિડીયો અમે જોયો છે એક ટોળું યુવકને માર માર મારવા માટે દોડી રહ્યું છે અને યુવક પોતાના બચાવ કરતો દોડી રહ્યો છે પોલીસ પાસે ફરિયાદ આવતા અમે કાર્યવાહી હાથ ધરીશું અમીરગઢ પોલીસે આ ઘટના પર કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી.