Cli

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ શો ને લઈને આવી મોટી ખબર…

Breaking

ભારતની ટેલિવિઝનની દુનિયામાં છેલ્લા 13 વર્ષથી તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે ભાગ્યેજ એવું કોઈ ઘર હશે જેમાં આ શો જોવામાં નય આવતો હોય આ શોની વધતી લોકચાહના જોઈને તારક મહેતા ટિમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફેન્સને મોટી સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરી છે.

તમને એ પણ જણાવી દઈએ કે શોની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય એ છેકે હવે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો અઠવાડિયામાં 5 નહિ પણ 6 કલાક બતાવવામાં આવશે આ ફેસલાની સાથે આ શોવ સોમવાર થી શનિવાર સુધી નવા એપિસોડમાં બતાવવામાં આવશે.

સોની સબ ચેનલે શનિવારે વિશેષ મહાસંગમની જાહેરાત સાથે અઠવાડિયામાં 6 દિવસ શો બતાવવાનું નક્કી કર્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં અત્યાર સુધીમાં 3200 થી વધુ એપિસોડ પૂરા કર્યાછે આ પછી પણ શો લોકોની મનપસંદ સૂચિમાં ટોચ પર રહે છે ગોકુલધામ પરિવાર વચ્ચે પ્રેમ અને ઝઘડો દર્શાવવામાં આવ્યો છે.

ગોકુલધામ સોસાયટીમાં દરેક ધર્મ અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે એટલું જ નહી તમામ ગોકુલવાસીઓ સમાજમાં આવનારી દરેક નાની મોટી સમસ્યાનું સમાધાન એક સાથે કરે છે ગોકુલના રહેવાસીઓ સાથે રહે છે તેમની વચ્ચે અનેક પ્રકારની વિવિધતા છે આ વસ્તુ ખૂબજ રમૂજી સ્વરમાં બતાવવામાં આવી છે આ શો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *