રામાયણ હિંદુઓમાં એક મહાન ગ્રંથ છે અને આ ગ્રંથ પરથી રામાનંદ સાગરએ એક સિરિયલ બનાવી હતી રામાયણ જે તે સમયે દૂરદર્શન પણ પ્રકાશિત થતી હતી જો કે વર્ષ 2020માં કોરોના અને લોકડાઉનને કારણે તેને ફરી એકવાર પ્રકાશિત કરવામાં આવી હતી. આ સિરિયલ જ્યારે પ્રકાશિત થઈ હતી ત્યારે આ સિરિયલના દરેક પાત્રોએ ઘણી જ નામના મેળવી હતી.
જેમાંથી અમુક પાત્રોની વાત કરીએ તો માતા સીતાના પાત્રમાં જોવા મળેલી ગુજરાતી અભિનેત્રી દીપિકા ચિખલિયા જેઓ એક અભિનેત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે બીજુ પાત્ર છે સુર્પનખા. રામાયણમાં રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું કારણ બનનાર અને રામ સીતાને અલગ કરનાર વ્યક્તિ એટલે રાવણની બહેન સુર્પનખા એ તો સૌ જાણે જ છે દીપિકા ચિખલિયાના જીવન વિશે તો તમે ઘણું જ સાંભળ્યું હશે પરતું આજે અમે તમને રામાયણ સિરિયલ માં સુર્પનખાના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રીના નામ અને એમના જીવન વિશે માહિતી આપીશું.
દૂરદર્શન પર પ્રકાશિત થનારી સિરિયલ રામાયણમાં રામાયણમાં સુર્પનખાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ રેણુ ધારીવાલ છે એક ખબર પ્રમાણે રેણુ માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડી મુંબઈ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા આવી ગયા હતા મુંબઈ આવ્યા બાદ તેમને એક્ટિંગ કલાસ શરૂ કર્યાં અને સાથે જ સુર્પનખાનું પાત્ર મળતા તેમને રામાયણ સિરિયલ નું શૂટિંગ પણ ચાલુ કર્યું હતું તમને જણાવી દઇએ કે રેણુ ધરીવાલ સુર્પનખાના પાત્ર દ્વારા ઘણાં જ લોકપ્રિય બન્યા હતા જો કે બાદમાં તેઓ એક્ટિંગ છોડી પોલિટિકસ તરફ વળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા.