Cli
મથુરામાં આરતી દરમિયાન ભીડના કારણે 50 થી વધારે લોકો બેભાન....

મથુરામાં આરતી દરમિયાન ભીડ વધવાને કારણે 50 થી વધારે લોકો થયા બેભાન જેમાં બે લોકોનો જીવ…

Breaking Life Style Story

મિત્રો આપણે જાણીએ છીએ કે જનમાસ્ટમીના દિવસે તમામ લોકો ભગવાનની પૂજામાં વ્યસ્ત હોય છે હવે આને લઈને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક ખરાબ બનાવ સામે આવ્યો છે મોડી રાત્રે કેટલાક લોકો અહિયાં દર્શન કરવા માટે આવ્યા હતા.

ત્યારે અહિયાં ભાગદોડ થઈ હતી જેમાં બે લોકોના અવસાન પણ થયા છે આ સાથે મળતી માહિતી અનુસાર ભીડ એટલી બધી હતી કે અહિયાં 50 થી પણ વધારે લોકો બેભાન થઈ ગયા હતા એસએસપી અભિષેક યાદવે જણાવ્યુ કે.

ભીડ વધી જવાને કારણે આ હાદસો બન્યો હતો આ સાથે આ આરતીમાં મથુરાના એક પોલીસ અધિકારી પરિવારના સાત સભ્યો સાથે હાજર રહ્યા હતા સેવાદારોના જણાવ્યા અનુસાર તેઓ બાલકનીમાથી દર્શન કરી રહ્યા હતા.

આ સાથે અહીના અધિકારીઓએ તેમની સુરક્ષા માટે ઉપરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો લોકોના જણાવ્યા અનુસરા એસપી ડીએસપી જેવા મોટા અધિકારીઓએ પણ આ આરતીમાં મશગુલ હતા.

આ સાથે આરતી શરૂ થાય આ પહેલા જ દબાળ વધવા લાગ્યું હતું ગણા લોકો બેહોશ પણ થવા લાગ્યા હતા અને આ ભીડમાંથી પોલીસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી આ સાથે આ ભીડમાં બે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *