ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલ ઈશ્વરશરણ કોલેજની ભોગ બનેલ વિદ્યાર્થીની મૂળ સરાઈમરેજનો રહેવાસી હતી તે બગડા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી 22 જાન્યુઆરીની રાત્રે આ વિદ્યાર્થીની દવા લેવા જવાનું છે તેમ કહીને હોસ્ટેલથી નીકળી હતી અને ફરી પાછી ફરી જ નહીં આ વાતની જાણ 23 જાન્યુઆરીએ તેની રૂમ પાર્ટનરે તેના પરિવારને કરી હતી.
અહીં પરિવાર જનોએ દિવસભર ગોત્યા પછી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટનાની પુછપરછ કરતા રૂમ પાર્ટનર બીજી વિધાર્થિનીને પૂછતાં જાણવા મળ્યું મધ્યપ્રદેશના સલોરીમાં રહેતા અને અજમગઢના રહેવાસી અને અત્યારે તૈયારી કરતા અમન સિંહથી તેની વાત થતી હતી અને 22 જાન્યુઆરીએ તેને મળવા પહોંચી હતી.
જયારે અમનની ધરપકડ કરી પુછતાજ કરી તો અમને જણાવ્યું કે વિધાર્થિનીને મળવા સાદિયાબાદની સુમસાન જગ્યા પર ગયો હતો ત્યારે ત્યાં અચાનક ત્રણ ચાર લોકો આવી ગયા અને એમને માર મા!રવા લાગ્યા કંઈ પણ કરીને અમન ત્યાંથી છોડાવીને ભાગી છૂટ્યો પરંતુ વિધાર્થીને એ અજાણ્યા યુવકોએ પકડી લીધી.
પોલીસે 11 લોકોની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે જેમાં જાણકારીના આધારે એ જંગલમાં લગભગ એક કલાક શોધખોળ કરી ત્યારે વિધાર્થિનીનો મૃતદેહ મળ્યો અહીં શકના આધારે અમનના મિત્રો અને અન્ય 11 લોકોની ધરપકડ કરી છે પૂછપરછ બાદ આ વિધાર્થીનીના હ!ત્યાનો ભેદ ઉકેલાઈ શકેછે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.