જાણીતા સિંગર કિંજલ દવે જેઓની ગુજરાતના સિંગરોમાં નામના છે તેઓ ઉત્તર ગુજરાત વતની છે જેમનું એકાદ ગીત આવતા લાખોમાં વ્યુ આવતા હોય છે પરંતુ હજુ નવરાત્રી શરૂ નથિ થઈને એક નવા વિવાદમાં કિંજલબેન છપડાયા છે ગુજરાત સરકારે એમની ગાઈડલાઇન મુજબ શેરી મહોલ્લામાં 400 જણાથી વધુને પરવાનગી આપી નથી ત્યારે અયોજકોએ પાર્ટી પ્લોટમાં ગાઈડલાઈનું પાલન ના કરીને આ સિંગર ને બોલાવતા વિવાદ સર્જાયો છે.
જ્યારે ચાલુ નવરાત્રીમાં સરકાર દ્વારા 400 થી વધુની પરવાનગી આપી નથી ત્યારે સાંણદમાં વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું હતું આ આયોજન સોસીયલ કલબના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે નવરાત્રી શરૂ થયાના આગલા દિવસેજ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એ ગરબામાં સિંગર કિંજલ દવેને બોલાવવામાં આવ્યા હતાં આમાં ગાઈડલાઇન ના અનુસરતાં ત્યાંની વિદ્યાનગર પોલીસ ત્રાટકી હતી.
આણંદ મામલતદારે આર બી પરમારે જણાવ્યુ હતુ કે ધાર્મિક ઉત્સવની પરવાનગી અપવામાં આવી જે નિઃશુલ્ક રહેશે પરંતુ અમારી ગાઈડલાઈન મુંજબ નહિ આયોજન થાય તો કાયદેશરની કાર્યવાહી થશે જ્યારે સરકાર દ્વારા ફક્ત શેરી ગરબાને મંજૂરી અપવામાં આવી છે આણંદ પોલિસ વડાએ જણાવ્યું હતું કે ક્યાંય પણ ગાઈડલાઇન ભંગ થશે તો આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.