Cli
જીગ્નેશ કવિરાજ દેવાયત ખાવડ વિશે જણાવતા કહ્યું કે હું જેલમાં ગયો તો રડી પડ્યો અને…

જીગ્નેશ કવિરાજ દેવાયત ખાવડ વિશે જણાવતા કહ્યું કે હું જેલમાં ગયો તો રડી પડ્યો અને…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ પોતાના 72 દિવસના જેલવાસ બાદ હવે શરતી જામીન મળતા બહાર આવી ગયા છે કોર્ટમાંથી તેમને છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ સરેશ્વર ચોક ની બાજુમાં બિલ્ડર મયુરસિંહ રાણા પર જીવલેણ હુ!મલો કરી ગંભીર રીતે ઇજા પહોંચાડવાના.

આરોપો થી તેઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં 72 દિવસથી બંધ હતા તેઓ બહાર આવતા જ તેમના મિત્રો સમર્થકો અને ચાહકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી દેવાયત ખાવડે બહાર આવતાની સાથે જેલના આંગણમાં આવેલા માતાજીના મંદિરે માથું ટેકવીને આર્શીવાદ લેતા પોતાના સમર્થકો નો આભાર માન્યો હતો અને બીજા દિવસે.

તેઓ ઉઘાડા પગે ચાલીને સોનલ માના સાનિધ્યમાં પહોંચી પોતાની બાધા પૂરી કરી હતી અને ત્યારબાદ તેઓ પાલીતાણા માં યોજાયેલા એક ડાયરામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ તેમને પોતાના મિત્રોની મુલાકાત લીધી હતી જેમાં કિંજલ દેવના પરિવારને તેઓ મળ્યા હતા ત્યાં તેઓએ પોતાના મિત્ર જીગ્નેશ કવિરાજ સાથેની તસવીરોને.

પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ખુશી વ્યક્ત કરી હતી તો એ વચ્ચે ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજે તાજેતરમાં યોજાયેલા એક ડાયરાના પ્રોગ્રામમાં લોકસાહિત્યકાર દેવાયત ખાવડ ની હાજરીમાં લોકોને સંબોધતા હજારોની ભીડ વચ્ચે ચાલુ સ્ટેજ પર જણાવ્યું હતું કે હું આ સ્ટેજની સાક્ષી એ કહું છું કે જ્યારે દેવાયત ખાવડ.

જેલમાં બંધ હતા ત્યારે મને ખૂબ જ દુઃખ લાગ્યું હતું તેમને જ્યારે જેલમાં હું મળવા પહોંચ્યો ત્યારે મારી આંખોમાં આંસુડા હતા અને હું બીજી વખત મળવા પણ જઈ નહોતો શકતો સ્ટેજની સાક્ષી હું કહું છું કે તેઓ મને પોતાના સગા ભાઈ કરતા પણ વધારે રાખે છે તેમને હું મારો સગો ભાઈ કહું તો પણ ઓછું પડે તેઓ એમના પર કરતા પણ વધારે વિશેષ છે.

જીગ્નેશ કવિરાજ એ પોતાની આંખોમાં આંસુ સાથે સ્ટેજ પરથી દેવાયત ખાવડ ને પોતાના ભાઈ જણાવ્યા હતા પોતાના મિત્ર જણાવ્યા હતા દેવાયત ખાવડે આ ડાયરાના પ્રોગ્રામ દરમિયાન જણાવ્યું હતું કે આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે કે દેવાયત ખવડ શું બોલશે પરંતુ હું અહીંયા વ્યવહારની વાત કરવા માટે આવ્યો છું હું કોઈ વાયડાઈ નહીં કરું પરંતુ એટલું ચોક્કસ.

કહીશ કે ઝુકેગા નહી સાલા દેવાયત ખાવડ જ્યારે દુહા છંદ લલકારવા લાગ્યા ત્યારે તેમને સાફો પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે તેમના પર ભારતીય ચલણી નોટો અને ડોલરનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો દેવાયત ખાવડ અને જીગ્નેશ કવિરાજ એક સારા મિત્રો છે દેવાયત ખાવડ જ્યારે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે ત્યારે જીગ્નેશ કવિરાજ ગુજરાતી.

ગીતો રાસ ગરબા અને ડાયરા ના પ્રોગ્રામ થકી ગુજરાતમાં ખૂબ જ નામના અને લોકપ્રિયતા ધરાવે છે જીગ્નેશ કવિરાજ અને દેવાયત ખવડ તાજેતરમાં જ કિંજલ દવેના ઘેર લલિત દવે પાસે જેસંગપુરા પહોંચ્યા હતા ત્યાં તેમને ચેહર માં ની સ્તુતિ અને પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા અને ત્યાંથી પોતાની તસ્વીરોને પણ શેર કરી હતી જે લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *