ગુજરાતમાં અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે રખડતા ઢોરનો આતંક એટલી હદે જોવા મળે છે કે રસ્તા પર ગાયો અને ભેંસો થી વાહનચાલકો એ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરીવારજનો જેની રાહ જોતા હોય એ વાહન ચાલકો ઘણી વાર રખડતા ઢોરના ત્રાસે અકસ્માત નો પણ ભોગ બનતા હોય છે.
પાટણ જિલ્લા સહિત ઘણા વિસ્તારોમાં રખડતા અબોલ જીવોનો ત્રાસ એટલી હદે છે કે નાના મોટા અકસ્માતો પણ ઘણીવાર સર્જાતા હોય છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા પણ જોવા મળે છે એવો જ એક બનાવ પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર રોડ પરથી સામે આવ્યો છે પંચાસર હાઇવે બસ સ્ટેન્ડ ની.
નજીક 26 વર્ષીય ખેડૂત અજીતભાઈ રાજુભાઈ ગોહિલ ખેતર થી પોતાનું બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પંચાસર બસ સ્ટેન્ડની નજીક એક અબોલ જીવે તેમને ટક્કર મારી અડફેટે લેતાં બાઈક ચાલક અજીતભાઈ બાઇક સાથે રોડ પર પછડાયા હતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર રૂપે ઘાયલ થયેલા અજીતભાઈ ને તાત્કાલિક શંખેશ્વર.
આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ શંખેશ્વર આરોગ્ય કેન્દ્રમાં તેમને મૃત જાહેર કરવામાં આવતા પંચાસર ગામે અજીતભાઈ ના પરિવારજનોમાં મોતનો માતમ છવાયો હતો પરીવારજનો માં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી ગામ આખાય માં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ અકસ્માત ની વિગતો પ્રાપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.