રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં કેરલમ કાંઠે ચોમાસાના આગમનના એંઘાણની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 8થી
15 જૂન વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પણ પડી શકે છે. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની ગતિ તેજ બનવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 29 અને 30 મે ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં છાંટા પડવાની ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.