દેશભરમાં મિમક્રી અને કોમેડી થકી લોકોને ખૂબ હસાવનાર રાજુ શ્રીવાસ્તવ નુ નિધન થતાં શોકની લાગણી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈછે આ વચ્ચે રાજુ શ્રીવાસ્તવનો એક અદભુત પ્રસંગ સામે આવ્યો છે જેમાં રાજુ શ્રીવાસ્તવ ના પિતાશ્રીએ પોતાના આર્થિક સંકળામણ ની પરિસ્થિતિમાં રાજુ શ્રીવાસ્તવની બહેનના લગ્ન.
કરવા માટે પોતાનું ઘર માત્ર ત્રણ લાખમાં વેચી માર્યું હતું એ સમયે રાજુ શ્રીવાસ્તવનો પરિવાર આર્થિક કમજોર હતો પૈસાની જરૂરિયાત અને બહેનના લગ્ન માટે વર્ષો પહેલાંનુ એમનુ મકાન વેચી મારી હતું પરંતુ રાજુ શ્રીવાસ્તવ સર્ઘષમય જીવન સાથે જીવનમાં સર્વોચ્ચ મુકામ પ્રાપ્ત કરતા આર્થિક રીતે ખૂબ જ સક્ષમ બન્યા હતા એમને વર્ષો પહેલા.
ગુમાવેલું મકાન ખરીદવા માટે સંકલ્પ કર્યો પરંતુ એ મકાનની કિંમત 30 લાખ રૂપિયા જણાવી ત્યારે રાજુ શ્રીવાસ્તવને ઘણા બધા લોકોએ ના પાડી પરંતુ રાજુ શ્રીવાસ્તવ ત્રણ લાખના મકાનના 30 લાખ રૂપિયા આપવા માટે પણ રાજી હતો કારણ કે એ મકાન નહીં પણ એનું ઘર હતું એની સાથે રાજૂ શ્રીવાસ્તવની પોતાની.
બાળપણની યાદો છુપાયેલી હતી જ્યારે એ મકાન રાજુ શ્રીવાસ્તવએ ખરીદ્યું ત્યારે આખો પરિવાર આ બાબતથી ખૂબ જ ખુશ હતો આજે જ્યારે રાજુ શ્રીવાસ્તવ આપણી અને એમના પરિવારની વચ્ચે નથી ત્યારે એમના પરિવારજનો આંખોમાં આંસુ સાથે આ વાતને યાદ કરતા એક મીડિયા અહેવાલ માં જણાવ્યું હતું.