Cli

રક્તદાન દિવસ: રક્તદાન કરવાથી શરીરમાં લોહી બનવાની ક્ષમતા વધી જાય છે! અને થાય છે આ લાભ

Life Style

આજે પહેલી ઓક્ટોબર એટલે સ્ક્તદાન દિવસ તરીકે ઉજવવમાં આવે છે સ્ક્તદાનની આવશ્યકતા અને ઉપગોય ને લઇને જાગૃતતા કરવી ખાશ જરૂરી છે. રક્તદાન કરવું એ શરીર માટે સારું માનવામાં આવે છે પરંતુ ઘણી વ્યકિતઓ રક્તદાન કરતા નથી અને રક્તદાન કરવાથી કઈ થઈ જશે એવા ખોટી અફવામાં માંનતા હોય છે અને એવું જોવા મળે છે કે લોકો જરૂરિયાત કરતા ઘણું ઓછું રક્તદાન કરવા માટે હોસ્પિટલો પહોંચે છે. પરંતુ રક્તદાન કરવાથી તમારા શરીરમાં બાનતું લોય ની પ્રક્રિયા વધી જાય છે.

ડો.ભીમરાવ આંબેડકર હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો.જોગેશ વિષાણદાસાનીએ જણાવ્યું હતું કે રક્તદાન કર્યા બાદ શરીરમાં અસ્થિ મજ્જા સારી થાય છે નવા કોષો બનાવવામાં આવે છે લોહી બનાવવાની શરીરની ક્ષમતા વધુ સારી હોય છે. જો કોઈ વ્યક્તિને રક્તદાન દરમિયાન કરવામાં આવેલા પરીક્ષણમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તે પણ ખબર પડી રહે છે. ડોક્ટરોએ જણાવ્યું કે 18 થી 60 વર્ષની વચ્ચેની વ્યક્તિ રક્તદાન કરી શકે છે, જેનું વજન 45 કિલોથી વધુ છે. રક્તદાન કરવા માટે શારીરિક રીતે યોગ્ય હોવું પણ જરૂરી છે.

લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર 12.5 ગ્રામ ડીએલ અથવા ઉપર હોવું જોઈએ. રક્તદાન કરતા પહેલા 24 કલાકમાં દારૂ, ધૂમ્રપાન અને તમાકુનું સેવન ન કરવું. રક્તદાન કરનાર વ્યક્તિને બ્લડ પ્રેશર કેન્સર એડ્સ જેવી બીમારીઓ ન હોવી જોઈએ તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. ઈન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનો હેમેટોલોજી દ્વારા પહેલી ઓક્ટોબર 1975 ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી ઈન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનો હેમેટોલોજીની સ્થાપના 22 ઓક્ટોબર 1971 ના રોજ ડો.જે.જી. જોલી અને શ્રીમતી સ્વરૂપ ક્રિસેનના નેતૃત્વમાં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *