રામાયણ હિંદુઓમાં એક મહાન ગ્રંથ છે અને આ ગ્રંથ પરથી રામાનંદ સાગરએ એક સિરિયલ બનાવી હતી રામાયણ જે તે સમયે દૂરદર્શન પણ પ્રકાશિત થતી હતી જો કે વર્ષ ૨૦૨૦માં કોરોના અને લોકડાઉનને કારણે તેને ફરી એકવાર પ્રકાશિત કરવામાં આવી હતી આ સિરિયલમાં દરેક કલાકારોએ પોતાના પાત્રને એટલી સહજતાથી નિભાવ્યું હતું કે સિરિયલ જોનાર દર્શક માટે એ રામાયણના પાત્રોની અસલ ઓળખ બની ગયા હતા આવા કેટલાક કલાકારોના નામ લઈએ જેમને આ સિરિયલમાં અભિનય કરી રામાયણના એ પાત્રોને અમર બનાવ્યા હોય તો એમાં મા સીતાનું પાત્ર કૈકાઈની દાસી મંથરાનું પાત્ર અને બીજા પણ અનેક નામ લઈ શકાય.
જો કે આજે આ સિરિયલમાં અભિનય કરનાર કલાકારોમાથી કેટલાક કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા પરતું એમને સિરિયલમાં કરેલો અભિનય એટલો સચોટ સહજ અને દમદાર હતો કે આજે પણ રામાયણનું નામ પડતાં એ તમામ કલાકારોના ચહેરા આંખ સામે આવી જાય છે જો આવા દમદાર કલાકારોના નામ જોઈએ તો સૌથી પહેલાં આપણે રામાયણમાં મંથરાનુ પાત્ર ભજવનાર લલિતા પવારની જ યાદ કરવા જોઈએ.
લલિતા પવારએ બોલીવુડની જાણીતી અભિનેત્રી રહ્યા હતા તેમને ૧૯૪૪મા આવેલી ફિલ્મ રામશાસ્ત્રીથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી આ સિવાય તમને દાગ ચારસો વીસ જંગલી અને નસીબ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૮માં મૃત્યુ પામેલ લલિતા પવાર નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ સમય અભિનય ક્ષેત્રમાં રહેનાર અભિનેત્રી તરીકે નોધાયું હતું તેમને હિન્દી મરાઠી એમ અલગ અલગ ભાષામાં કુલ ૭૦૦ ફિલ્મમાં કામ કર્યું હતું.
ત્યારબાદ જયશ્રી ગેતકર પણ એક એવી અભિનેત્રી રહ્યા જેમને પોતાના અભિનય દ્વારા લોકોના મન પર અમીટ છાપ છોડી હતી જયશ્રી ગેતકરે રામાયણ સિરિયલમાં માતા કૌશલ્યનું પાત્ર ભજવ્યું હતું એક ખબર પ્રમાણે તેમને કુલ ૮૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં પહેલી ફિલ્મ હતી જનક જનક પાયલ બાજે આ અભિનેત્રી પણ વર્ષ 2008મા દુનિયાને અલવિદા કહી જતા રહ્યા હતા રામાયણ સિરિયલમાં રાણી સુનેનાંના પાત્રની વાત કરીએ તો આ પાત્ર ભજવનાર અભિનેત્રી ઊર્મિલા ભટ્ટ પણ હિન્દી ફિલ્મોમાં જાણીતા કલાકાર હતા તેમને ગીત ગાતા ચલ સાજન કા દર્દ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું ઊર્મિલા ભટ્ટનું મૃત્યુ ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭ના રોજ થયું હતું.
આ સિરિયલમાં એક એવું પાત્ર પણ છે જેની વાત કર્યા વિના રામાયણની વાત અધૂરી લાગે અને એ પાત્ર એટલે રામના પરમ ભક્ત એવા હનુમાનજીનું પાત્ર રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામ ભક્ત હનુમાનનું પાત્ર એક એવા અભિનેતા એ નિભાવ્યું હતું જેના અભિનયના જ નહિ પરંતુ પહેલવાની ના ચર્ચા પણ પ્રખ્યાત હતા આ અભિનેતા એટલે દારાસિંહ દારાસિંહનું નિધન ૧૨ જુલાઈ ૨૦૧૨માં થયું હતું.
આ સિવાય જો રામાયણના બીજા મહત્વના પાત્રની વાત કરીએ તો એમાં એક નામ રાવણના ભાઈ વિભીષણનું લેવામાં આવે છે રામાયણ સિરિયલમાં વિભીષણનું પાત્ર ગુજરાતી મરાઠી નાટકો અને ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા મુકેશ રાવલે નિભાવ્યો હતો તમને જણાવી દઈએ કે અભિનેતા મુકેશ રાવલનું પારિવારિક જીવન દુઃખમય હતું તેમને પોતાના પુત્રને એક અકસ્માતમાં ગુમાવ્યો હતો પોતાના દીકરાને ગુમાવ્યાનું દુઃખ આ અભિનેતાને એટલું લાગી આવ્યું કે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા જે બાદ ૧૬ નવેમ્બર ૨૦૧૬માં તેમનું મૃત્યુ થયું અને તેમની લાશ એક રેલવે ટ્રેક પર મળી આવી હતી.