ના એ તો ડાયરેક્ટરની જીત થઈ ને વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મથી તાજેતરમાં જે લીગલ મુશ્કેલી હતી તે થોડી શાંત થઈ અને તેમનું ‘ચુનરી ચુનરી’ ગીત રિલીઝ થયું પણ આ દરમિયાન વરુણ ધવને એક એવું નિવેદન આપ્યું જેનાથી હવે વરુણ ધવનને પોતાની જ ફિલ્મ પહેલાં ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. નેગેટિવિટી ચાલી રહી છે અને આની અસર તેમની ફિલ્મ પર પડી શકે છે.
એક્ચ્યુઅલી વરુણ ધવનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના પિતા ડેવિડ ધવન સાથે ફિલ્મ બિઝનેસ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના પિતા ‘ધુરંધર’ ફિલ્મ વિશે વાત કરે છે અને કહે છે કે આ ફિલ્મે એક અલગ જ સ્ટાન્ડર્ડ સેટ કરી દીધું છે અને બહુ જ સારું કામ કર્યું છે અને આ ફિલ્મ બહુ જ સારી બની છે.
આના પર વરુણ ધવન જે કમેન્ટ કરે છે તે પછી લોકોએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે આ વરુણ ધવન રણવીર સિંહથી બળે છે. એટલે જ રણવીર સિંહનું નામ ન લીધું. એક્ચ્યુઅલી વરુણ ધવને પોતાના પિતાને જવાબ આપતા કહ્યું કે ‘ધુરંધર’ ફિલ્મ જે હિટ છે એ તો ડાયરેક્ટરના લીધે છે ને. ધુરંધર યુ સી લાઈક અ આદિત્ય ધર જે રીતે બનાવી રહ્યો છે ટ્રીટિંગ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, ના એ તો ડાયરેક્ટરની જીત થઈ ને એટલે કે ક્લિયરલી આ નિવેદનથી વરુણ ધવને રણવીર સિંહના કામને જ કટ ઓફ કરી દીધું. તેનું નામ પણ ન લીધું પણ ડાયરેક્ટરને હાઇપ આપીને તેમણે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે જે ફિલ્મ સક્સેસ થઈ છે તે સિર્ફ અને સિર્ફ ડાયરેક્ટરના લીધે થઈ છે.
એક્ટર્સ ક્યાંય માયને નથી રાખતા. વરુણ ધવનનું આ નિવેદન તેની વિરુદ્ધ ગયું છે કારણ કે સોશિયલ મીડિયા પર હવે લોકો ખુદ વરુણ ધવનને જ સવાલ કરી રહ્યા છે કે તમારી જે ફિલ્મ ‘બદલાપુર’ જેના માટે તમારા કામના વખાણ થાય છે, એકમાત્ર એ ફિલ્મ જેનાથી તમારા કરિયરને હાઇપ આપીને બતાવવામાં આવે છે એ ફિલ્મની જ્યારે પ્રશંસા થાય છે ત્યારે શું તમે બોલો છો કે
આ ફિલ્મમાં મારું કામ કંઈ નથી મારા ડાયરેક્ટરનું કામ છે? જ્યારે કરણ જોહરે તમને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી લોન્ચ કર્યા તો ડેફિનેટલી તેમાં પણ ડાયરેક્ટરનો જ હાથ હતો. જો કરણ જોહર તમને લોન્ચ ન કરત તો કદાચ તમને આટલો મોટો સ્ટેજ ન મળત અને આ સ્ટેજ પર આવીને તમે ફિલ્મોમાં પોતાના બધા સમકાલીન કલાકારોને સાથે લેવાના બદલે આ રીતે કટ ઓફ કરતા જોવા ન મળત. કંઈક આ રીતે હવે વરુણ ધવનને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે.