Cli
મિરઝાપુર સીરીઝ ના આ ફેમસ એક્ટરનુ થયું દુઃખદ નિધન, ઇન્ડસ્ટ્રીમા શોક ની લહેર...

મિરઝાપુર સીરીઝ ના આ ફેમસ એક્ટરનુ થયું દુઃખદ નિધન, ઇન્ડસ્ટ્રીમા શોક ની લહેર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખુબ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ફેમસ એક્ટર શાહનવાઝ પ્રધાનનુ હ દયરોગના હુ!મલા ના કારણે નિધન થયું છે શાહનવાઝ પ્રધાન માત્ર 56 વર્ષની ઉંમરના હતા મીડિયા રિપોર્ટ અનુસાર શાહનવાજ એક કાર્યક્રમમાં બેઠેલા હતા અને અચાનક કાર્યક્રમ દરમિયાન જ તેમના છાતીમાં

અસહ્ય દુખાવો શરૂ થયો જેની જાણ તેમને બાજુમાં બેઠેલા વ્યક્તિને કરતા તેમને કોકીલાબેન ધીરુભાઈ અંબાણી ની હોસ્પિટલમાં તત્કાલ દાખલ કરવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ દેહાંત નીપજ્યું હતું ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ ડોક્ટરની ટીમ તેમને બચાવી શકી નહોતી પ્રધાન ના અચાનક નિધન ના.

સમાચાર સામે આવતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે ઘણા સેલિબ્રિટી એ સોશિયલ મીડિયામાં શાહનવાઝ પ્રધાનને શ્રધાંજલિ અર્પણ કરી છે શાહનવાઝ પ્રધાન ઘણા પાત્રો માં ખુબ લોકપ્રિય બન્યા હતા પરંતુ મિરઝાપુર વેબ સિરીઝ માં ગુડ્ડુ ભૈયા ના સસરાનો રોલ ભજવી તેમને ખુબ લોકપ્રિયતા મેળવી હતી.

મિરઝાપુર વેબ સિરીઝમાં તેમને ગોલુ તમે સ્વીટી ના પિતા પરશુરામ ગુપ્તા નું પાત્ર ભજવ્યું હતું શાહનવાઝ પ્રધાન નો જન્મ 6 નવેમ્બર 1963 ના રોજ ઓડીસ્સાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો પોતાની સાત વર્ષની ઉમર માં પરિવાર સાથે રાયપુર આવી ગયા ધોરણ સાતમાં અભ્યાસ સાથે તેમને સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું

અને ત્યારબાદ તેમને અભિનય કેરિયર ની શરૂઆત કરી તેમને ઘણા બધા કોમેડી પાત્રો પણ ભજવ્યા છે જેને લોકો આજે પણ યાદ કરે છે બોલીવુડ ફિલ્મો અને ટીવી શો દરમિયાન તેમને દરેક પાત્રો ખુબ ઉમદા ભજવ્યા હતા તેઓની આત્માને શાંતિ મળે એ માટે ચાહકો સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *