Cli
બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખર ને લઈ દુઃખદ ખબર, પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો...

બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખર ને લઈ દુઃખદ ખબર, પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ગુજરાતી રંગભૂમિમાં વર્ષો સુધી અભિનય કરનાર ટીવી સીરીયલ અને ફિલ્મ જગતમાં સહાયક અભિનેતા તરીકે પોતાના દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા સમીર ખખ્ખર નું શ્ર્વાસ લેવાની તકલીફો અને ઉમંર સંબંધીત બીમારીઓના.

કારણે 70 વર્ષ ની ઉંમરે મુંબઈ માં ગત રાત્રે 10 વાગે અવસાન થયું હતું તેમને ગતરાત્રીએ બોરીવલી ની એમ એમ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ તેમને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા આજે વહેલી સવારે 10 વાગે તેમના બોરીવલીમાં અંતીમ યાત્રા માં.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને. સેલિબ્રિટી સહીતના ઘણા લોકો જોડાયા હતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે અભિનેતા સમીરે પોતાના અભિનેત્રીઓની શરૂઆત ટીવી સીરીયલ નુક્કડ થી કરી હતી જેમાં તેમને ખોપરીની ભુમીકા ભજવી હતી ત્યારબાદ દુરદર્શન.

પર પ્રસારિત સર્કસ માં ચિંતામણી નો રોલ અદા કર્યો હતો સાથે શ્રીમાન શ્રીમતી અને સંજીવની જેવી ઘણી બધી ટીવી સીરીયલ માં કામ કરી તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ઝંપલાવ્યું અને 90 ના દશકામાં તેમને પુષ્પક શહેનશાહ રખવાલા દિલવાલે રાજા બાબુ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર.

અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 1996 માં તેઓ ભારત છોડી અમેરીકા ચાલ્યા ગયા ત્યાં તેમને કામ ના મળતા તેઓ કોડર તરીકે નોકરી કરવા લાગ્યા સાલ 2008 માં તેઓ ફરી પરત ફર્યા અને ફિલ્મ જય હો હસી તો ફસી પટેલ કી પંજાબી શાદી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ફર્જી માં.

છેલ્લી વાર અભિનેતા સમીર જોવા મળ્યા હતા દેશભરમાં તેમને લોકપ્રિયતા અને જે ફિલ્મ માં કામ મળ્યું એ નુક્કડ ના પાત્ર પર આધારિત હતું આજે એ ખોપડીનુ પાત્ર ભજવતા અભિનેતા સમીર ખખ્ખર આપણી વચ્ચે રહ્યા નથી પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *