Cli

પદ્મશ્રી એવોર્ડ લેવા કેમ ન પહોંચ્યા રોહિત શર્મા ?

Uncategorized

રોહિત શર્મા પદ્મશ્રી એવોર્ડ લેવા કેમ ન પહોંચ્યા? આખરે કેમ રાષ્ટ્રપતિ ભવનમાં ન દેખાયા ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન? હવે આ સવાલનો જવાબ સામે આવી ગયો છે. કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ 131 પદ્મ એવોર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માનું નામ પણ સામેલ હતું. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં

66 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા. પરંતુ આ સમારોહમાં રોહિત શર્મા નજરે ન પડ્યા, જેના કારણે ફેન્સ ખૂબ હેરાન થઈ ગયા. સોશિયલ મીડિયા પર સતત સવાલો ઉઠવા લાગ્યા કે કેમ રોહિત શર્મા એવોર્ડ લેવા ન પહોંચ્યા? શું કોઈ મોટું કારણ હતું? તો તમને જણાવી દઈએ કે આની પાછળનું કારણ પૂરેપૂરું શિડ્યુલિંગ સાથે જોડાયેલું છે. માહિતી અનુસાર, રોહિત શર્મા શિડ્યુલિંગના કારણોસર પહેલા સમારોહમાં

સામેલ થઈ શક્યા નહોતા અને હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે તેઓ બીજા ફેઝમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચીને પોતાનો પદ્મશ્રી એવોર્ડ સ્વીકારશે. વળી બીજી તરફ, પદ્મ પુરસ્કાર એક જ દિવસમાં તમામ વિજેતાઓને આપવામાં આવતા નથી. રાષ્ટ્રપતિ ભવનમાં આ સમારોહ અલગ-અલગ ફેઝમાં આયોજિત કરવામાં આવે છે.

પહેલા ફેઝમાં 66 લોકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં બે પદ્મ વિભૂષણ, છ પદ્મ ભૂષણ અને 58 પદ્મશ્રી એવોર્ડ સામેલ હતા. આ જ સમારોહમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. પરંતુ રોહિત શર્મા આ પેલી બેચનો હિસ્સો ન બની શક્યા. જો હવે રોહિત શર્માના તાજેતરના શિડ્યુલની વાત કરીએ તો તેઓ આઈપીએલ 2026માં ખૂબ જ વ્યસ્ત રહ્યા. રોહિત આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યા. જોકે, ઈજાના કારણે તેઓ આખી સીઝનમાં માત્ર નવ મેચ જ રમી શક્યા. આ નવ મેચોમાં રોહિતે 283 રન બનાવ્યા,

તેમની એવરેજ 35.38ની રહી. ઈજાના કારણે તેમને ઘણી મહત્વની મેચોમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. આ જ કારણ રહ્યું કે તેમનું શિડ્યુલ સતત વ્યસ્ત અને અનિશ્ચિત બનેલું રહ્યું. હવે રોહિત શર્માની નજર જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે રમાનારી વનડે સિરીઝ પર છે. પરંતુ અહેવાલો અનુસાર, આ સિરીઝમાં રમવા માટે પહેલા તેમણે બીસીસીઆઈનો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. જો રોહિત પૂરેપૂરા ફિટ સાબિત થશે, ત્યારે જ તેઓ ટીમ ઇન્ડિયામાં વાપસી કરીને મેદાન પર જોવા મળશે. હાલમાં ફેન્સ બે વસ્તુની રાહ જોઈ રહ્યા છે. પહેલી, રોહિત શર્માનું પદ્મશ્રી સન્માન લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચવું અને બીજી, ટીમ ઇન્ડિયાની જર્સીમાં તેમની ધમાકેદાર વાપસી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *