ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવા ના કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા નિરાધાર અને ગરીબ ભિક્ષુકો અને રસ્તા પર સુતેલા લોકોને મદદ કરનાર પોપટભાઈ આહીર તાજેતરમાં અમદાવાદ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાં તેમને એક દાદા જોયા તેવો છેલ્લા ઘણા સમયથી સોસાયટીની બહાર એક.
ઓટલા પર ગંદા મેલાદાટ કપડાઓ પહેરી ને પગમાં ઈજાની હાલતમાં બેઠેલા હતા તેમની સાથે વાતચીત દરમિયાન તેમને પોતાનું નામ મથુરભાઈ જણાવ્યું અને તેઓ મધ્યપ્રદેશ રતલામ ના રહેવાસી છે એમ જણાવ્યું આજુબાજુની મહીલાઓ સાથે વાત કરતા પોપટભાઈ ને જાણવા મળ્યું કે આ દાદા વર્ષોથી.
આ ઓટલે બેસી રહે છે અને તેમના પગમાં ઇજાઓ છે મકાન કોરોના સમય મા વેચાઈ ગયું હતું અને તેઓ આવી હાલતમાં આવી ગયા વર્ષોથી નહાતા નથી મળમુત્ર વિસર્જન પણ અહીં જ કરે છે તેમની હાલત એવી હતી કે બાજુમાં ઉભા રહેતા પણ દુર્ગંધ આવતી હતી પોપટભાઈ આહીર તેમને.
પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો અમદાવાદના સેવાકીય પ્રવૃતિઓ કરતા સિદ્ધાર્થ ભાઈ સાથે તેઓએ તે દાદાને આણંદ નગરપાલિકા દ્વારા ચાલતા સેન્ટર હાઉમ માં લાવ્યા અને તેમની પોપટભાઈ એ નોધંણી કરાવી સાથે તેમના વાળ કાપી નવડાવી ને તેમને સ્વચ્છ કપડાં પહેરવા આપી.
હાલત સુધારી અને તેમના સામાન ની ચકાસણી કરતા સો અને પાચંસો ની નોટો પોપટભાઈ ને મળી આવી જે પોપટભાઈ એ જોતાં જણાવ્યું કે આ નોટો કોની છે તો દાદા કહે હવે મારે આ નથી ખાવી તેમના હાથમાં ખાવાની થાળી હતી જે સાભંડી ને પોપટભાઈ એ જણાવ્યું કે આવા લોકો જે રસ્તા.
પર રહે છે તેમને સાચા રસ્તે પહોંચાડો ગુજરાત માં ઘણા સેન્ટર હોમ અને આશ્રમો ચાલે છે ત્યાં સુધી એમને પહોચાડો એમની રુપીયા આપીને નહીં પણ એમનું જીવન સુધારીને મદદ રુપ બનો પોપટભાઈએ આ મથુરભાઈ ના સગાઓ ને પણ વિડીઓના માધ્યમ થી ઓળખ કરી સંર્પક કરજો એવી વિનંતી કરી હતી.