Cli

પુનિથ રાજકુમાર નીકળ્યા સાચા સુપર સ્ટાર ગયા પછી પણ ચાર લોકોની જિંદગીમાં કરી રોશની…

Bollywood/Entertainment

પૂનિથ રાજકુમારના નિધનના સમાચારે બધાને હલાવી નાખ્યા હતા 46 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી જબરજસ્ત અભિનેતા હતા અને સ્વભાવના દિલદાર જયારે પૂનિથના ગયા પછી ઘણાને ખબર પડી કે તેઓ કેટલું સેવાનું કાર્ય કરતા હતા જેમાં ગૌ શાળા વૃદ્ધાશ્રમ ગરીબોને ભણાવવા ફ્રીમાં સ્કૂલો ચલાવવી વગેરે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે પૂનિથ રાજકુમાર ગયા પછી પણ ચાર લોકોની જિંદગી રોશન કરીને ગયા છે પૂનિથ રાજકુમારના પિતાએ એમની આંખો દાનમાં આપી હતી અને એજ કામ પુનિથ રાજકુમારેજ કર્યું તેઓ જીવિત હતા ત્યારેજ જણાવી દીધું હતું કે તેમના નિધન પછી આંખો ડોનેટ કરી દેશે.

પૂનિથ રાજકુમારની આંખો ચાર લોકોને કામ આવીછે આ કામ નારાયણ નેત્રાલયે કર્યું છે તેમના ડોક્ટરોએ જણાવ્યું હતું કે પૂનિથની આંખોના જે કોર્નિયા હતા તેમાંથી એક આંખના કોર્નિયા બે વ્યક્તિઓને કામ આવ્યું છે જે બન્ને આંખો માંથી ટોટલ ચાર વ્યક્તિઓને નવી રોશની મળી છે જેમાંથી એક સ્ત્રી છે અને ત્રણ પુરુષ છે.

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર હતા પુનિથ કુમાર દેવલોક પામ્યા એવામાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે બૉલીવુડ ફિલ્મઈન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી પૂનિથના સારા કામને કારણે એમની સારી લોક પ્રિયતા હતી જેમને લાડકા નામ અપ્પુ તરીકે ઓળખવામાં આવતા હતા કારણે કે એમની પ્રથમ ફિલ્મ અપ્પુ સુપરબહિટ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *