Cli

NEET UG 2026ના પેપર લીક કેસમાં CBIની તપાસ ક્યાં સુધી પહોંચી?

Uncategorized

નીટ યુજી 2026 ના પેપર લીકના કારણે ભારતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશનો માહોલ છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા આ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે આજે નવી દિલ્હી સ્થિત રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આરોપી મનીષા મંધારેના 14 દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી સીબીઆઈ મોટી માછલી સુધી નથી પહોંચી શકી તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટને લઈને સરકારને આજે આકરા ચાપખા માર્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર રાજસ્થાન કે જે દેશનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે

આ રાજસ્થાનનું કોટા શહેર એન્જિનિયરિંગના કોચિંગ માટે ખૂબ ફેમસ છે તો બીજી તરફ શિકર શહેર મેડિકલના શિક્ષણ અને નીટની તાલીમ માટે છેલ્લા પાંચ સાત વર્ષથી ખૂબ ફેમસ થયું છે પરંતુ હવે આજ શિકર શહેરે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે કેમ કે શિકર સાથે જોડાયેલા દિનેશ બિવાલ અને માંગીલાલ બિવાલે નીટ યુજી 2026 નું પેપર લીક કરીને તેને સમગ્ર દેશમાં ફેલાવ્યું છે હવે આ સમગ્ર મામલેસીbઆઈની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તાજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે નીટ 2024 નું પેપર લીક થયું પરીક્ષા રદ્દ ના થઈ મંત્રીએ રાજીનામું ન આપ્યુંસીbઆઈએ તપાસ બેસાડી એક કમિટી પણ બનાવવામાં આવી નીટ 2026 નું પેપર લીક થયું પરીક્ષા રદ્દ થઈ મંત્રીએ ફરી રાજીનામું નથી આપ્યું સીબીઆઈએ ફરી તપાસ બેસાડી એક નવી કમિટી બેસાડવામાં આવશે. મોદીજી દેશ તમારાથી સવાલ પૂછી રહ્યો છે જવાબ આપો વારંવાર પેપર લીક કેમ થઈ રહ્યા છે

વારંવાર પરીક્ષા પર ચર્ચા પર કેમ આ તમે ચૂપ છો વારંવાર ફેલ થઈ રહેલા શિક્ષણ મંત્રીને કેમ તમે દૂર નથી કરી રહ્યા હામ રાહુલ ગાંધીએ નીટ યુજી 2026 ના પેપર લીકને લઈને કેન્દ્ર સરકારને ફરી એકવાર આડે હાટ લીધી છે તો આજે સીબીઆઈ દ્વારા મનીષા મધારે જે નીટ પેપર લીક કેસના આરોપી છે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમના 14 દિવસની કસ્ટડી મંજૂર કરી છે આમ આવનારા સમયમાં મનીષા મંધારે પાસેથીસીbઆઈને મહત્વપૂર્ણ એમને માહિતી મળે તેવી સંભાવના છે. આ મનીષા મંધારે નીટ એક્ઝામ કરાવતી સંસ્થા એનટી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં પરીક્ષાની પ્રોસેસમાં એક નિષ્ણાંત અને ટ્રાન્સલેટર તરીકે ફરજ બજાવતા હતા.સીbઆઈ સીબીઆઈ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે

કે આખી એનટીએની પરીક્ષા લેવાની પ્રોસેસની તપાસ થઈ રહી છે વાત કરીએસીbઆઈની તપાસની તો છેલ્લા 24 કલાકમાંસીbઆઈએ છ જગ્યાઓ પર છાપેમારી કરી છે આ છાપેમારીમાંસીbઆઈ દ્વારા દસ્તાવેજો મોબાઈલ ફોન બેન્ક સ્ટેટમેન્ટ અને લેપટોપને જપ્ત કરવામાં આવ્યા છે હાલમાં જપ્ત કરેલા તમામ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે અત્યાર સુધીમાંસીbઆઈ દ્વારા નવ જેટલા આરોપીઓની આ નીટ પેપર લીક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અને હવે આપને જણાવી દઈએ કે એનટીએ દ્વારા થોડાક સમય અગાઉ આ પરીક્ષાની જે નવી તારીખોનું પણ એલાન કર્યું હતું અને હવે 21મી જૂનના રોજ આ નીટની પરીક્ષા એનટીએ દ્વારા ફરી એકવાર થવા જઈ રહી છે

અનેસીbઆઈ દ્વારા હાલમાં તો તપાસ ચાલી રહી છે પરંતુ સમગ્ર દેશમાં જે એનએસયુઆઈ છે અને અન્ય જે વિદ્યાર્થી સંગઠનો છે તે વ્યાપક સ્તરે આ પેપર લીકને લઈને વિરોધ કરી રહ્યા છે અને આ કારણે હાલમાં તો કેન્દ્ર સરકાર પર પણ જે પરીક્ષા કંડક્ટ કરાવતી સંસ્થા જે એનટીએ છે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જગ્યાએ નેશનલ ટેસ્ટ ટેન્શન એજન્સી બની ચૂકી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *