Cli
પાલનપુરના નિઃસંતાન યુગલને લગ્ન ના 13 વર્ષે માં મોગલે બે જોડિયા દિકરા આપ્યા, સામંત બાપુએ ખોળામાં લઈને કહ્યું હવે...

પાલનપુરના નિઃસંતાન યુગલને લગ્ન ના 13 વર્ષે માં મોગલે બે જોડિયા દિકરા આપ્યા, સામંત બાપુએ ખોળામાં લઈને કહ્યું હવે…

Breaking

ગુજરાતના કચ્છની પાવન ભુમી પર કાબરાઉ ધામમાં બિરાજમાન આઈશ્રી માં મોગલ મણીધર મઢવાળીના પારે લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના સાથે શ્રધ્ધા ભક્તિના ભાવ લઈને દર્શનાર્થે આવે છે માં મોગલ અહીં સાક્ષાત્ બિરાજમાન છે માતાજી ભક્તોના દુઃખ ને દુર કરીને તેમના મનની તમામ મુરાદો પુરી કરેછે માં મોગલ ના સાનિધ્યમાં.

તાજેતરમાં પાલનપુર થી હીતેન્દ્રકુમાર હીગંળાજદાન ગઢવી પોતાના પરીવાર સાથે આવ્યા હતા તેમને માં મોગલ ના સાનિધ્યમાં દર્શન કર્યા અને ગાદીપતિ શ્રી ચારણ ઋષી સામંત બાપુ ના આશીર્વાદ લેવા પહોંચ્યા પોતાના બે જુડવા દિકરાઓ ને સામંત બાપુના ખોળામાં આપીને હીતેન્દ્રકુમારે જણાવ્યું કે લગ્ન બાદ તેર વર્ષોના વાણા વિતી ગયા.

હું નિઃસંતાન હતો પરંતુ માં મોગલ ના સાનિધ્યમાં હું ગયા વર્ષે આવ્યો આને માં મોગલ પાસે મારા હૈયાના ભાવ વ્યક્ત કર્યા સાથે સામંત બાપુ ને જણાવ્યું બાપુએ આશીર્વાદ આપતા કહું માં મોગલ પર શ્રધ્ધા રાખો તમારા મનના અભરખા પુરા થસે સવાશેર માટી ની ખોટ માં મોગલ પુરી કરશે અને આજે.

એક વર્ષ બાદ મારા ત્યાં એક નહીં બે દિકરાઓ નો જન્મ થયો છે મારી બાધા પુરી કરવા હું માં મોગલના સાનિધ્યમાં આવ્યો છું આ સમયે સામંત બાપુ પોતાના ખોળામાં બંને દિકરાને રમાડી રહ્યા હતા તેમને બાળકોની માતા જણાવ્યું કે તું બેટા ચારણની દિકરી છો જે માં મોગલ નું સ્વરૂપ છો આજે તારા હૈયામા.

ભક્તિ ના ભાવ હતા માતાજી એ બે સાવજો દિધા છે એકનું નામ માનભા આને બિજાનુ નામ માનવ રાખજો આ દરમિયાન બાપુ હસી પડ્યા ખોળામાં આ દિકરાઓ બાપુની દાઢી ખેંચી રહ્યા હતા બાપુએ જણાવ્યું કે તમને વિશ્વાસ હતો અને આ દિકરા માં મોગલે આપ્યા છે આ કોઈ ચમત્કાર નહીં પણ ભક્તિના ભાવ.

અને વિશ્વાસ છે અંધશ્રદ્ધા નથી માનતો નથી વિશ્વાસ રાખો ભક્તિ રાખો માં મોગલ આપને અવશ્ય સહાયતા કરશે એમ જણાવીને કહ્યું હતું કે આ તમારી કરોડોની મૂડી છે મા મોગલ ના આશીર્વાદ તમારી સાથે છે માં મોગલ હંમેશા પોતાના ભક્તો ના મનના ઓરતા અને દુઃખ દુર કરે છે જય માં મોગલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *