Cli

ગોવિંદા–સુનીતા ગણપતિ કાર્યક્રમમાં સાથે દેખાયા, પરિવાર અને અફવાઓ અંગે કર્યો ખુલાસો!

Uncategorized

બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા તાજેતરમાં ગણપતિના કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. હંમેશા ચર્ચામાં રહેતા આ દંપતીના સંબંધોને લઈને ઘણીવાર અફવાઓ ફેલાય છે, પરંતુ આ પ્રસંગે ગોવિંદાએ ખુદ સ્પષ્ટતા કરી.

ગોવિંદાએ મીડિયાને કહ્યું કે –> “અમારી વચ્ચે કોઈ વિવાદ નથી. અમે હંમેશાં જોડે છીએ અને તમારે પ્રાર્થના કરવી કે અમે જીવનભર જોડે જ રહીએ.” આ રીતે તેમણે દરેક પ્રકારની નકારાત્મક ચર્ચાઓને ખોટી સાબિત કરી દીધી.

ગોવિંદાએ પોતાના છોકરાઓ વિશે પણ વાત કરી. તેઓએ કહ્યું કે જેમ તેઓ કોઈપણ ગોડફાધર વગર, પોતાની મહેનત પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા હતા, એ જ રીતે તેમના બાળકોને પણ પોતાની ક્ષમતા પર બોલીવુડમાં આગળ વધવું જોઈએ બીજી બાજુ, સુનીતા આહુજાએ પણ રિપોર્ટરો સામે સ્પષ્ટતા કરી કે,> “મેં ક્યારેય પણ આહન પાંડે સામે કોઈ નકારાત્મક વાત કરી નથી. હું તો ઈચ્છું છું કે દરેક યુવાન પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં આવે અને નામ કમાય. મારા નામે ફેલાતી આ અફવાઓ ખોટી છે.”

ગણપતિના આ પ્રસંગે ગોવિંદા અને સુનીતાએ પરિવાર અને સંબંધોને લઈને ખુલ્લા દિલે વાત કરી. એક તરફ ગોવિંદાએ પોતાના સંતાનો માટે સિદ્ધાંત સ્પષ્ટ કર્યા, તો બીજી તરફ સુનીતાએ અફવાઓ પર સંપૂર્ણ વિરામ મૂક્યો.

ગોવિંદા–સુનીતા: છુટાછેડાની અફવાઓને નકારી, ગણપતિ કાર્યક્રમમાં સાથે દેખાઈને આપ્યો જવાબબોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા વારંવાર વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં બંનેના છુટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા અને ગોસિપ કોલમમાં ઝડપથી ફેલાઈ હતી. પરંતુ આ તમામ વાતોને ખોટી સાબિત કરતાં બંનેએ ગણપતિના કાર્યક્રમમાં સાથે હાજરી આપી અને સૌને સ્પષ્ટ સંદેશો આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *