ગુજ્જુ લવ ગુરુના પરિવારમાં થોડી રગચક હોઈ શકે છે એટલે કદાચ આવું બન્યું વિક્રમ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા આવું કેમ કહ્યું મિત્રો સોશિયલ મીડિયા પર ગુજ્જુ લવ ગુરુના નામે લાખો લોકોને ખડખડાટ હસાવનાર ચંદન રાઠોડના અચાનક થયેલા નિધનથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું છે. ભાભર નજીક હરિધામ ગૌશાળા પાસે બનેલા એક દર્દનાક બાઈક અકસ્માતે આ હસતા રમતા કલાકારનો જીવ છીનવી લીધો છે.
આ કરુણ ઘટના બાદે સોશિયલ મીડિયા પર શોકની લહેર ફરીવળી છે અને બનાસકાંઠાના સાંસદ ગીનીબેન ઠાકોર સહિત અનેક દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ચંદન રાઠોડ સાથે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સીધી પ્રતિક્રિયા સામે આવી અને તેમણે કેટલાક ખુલાસા કર્યા જેને લોકોને વિચારતા કરી દીધા છે. વિક્રમ ઠાકોરે ભારે હૃદયે જણાવ્યું હતું કે સમાચાર સાંભળતા જ તેમને ઊંડો આચકો લાગ્યો હતો. ચંદન એક અત્યંત સરળ નમ્ર અને સીધો સાધો કલાકાર હતો.
ફિલ્મ શૂટિંગ દરમિયાન પહેલીવાર જ્યારે તે વિક્રમભાઈની સામે આવ્યો ત્યારે તે ડરતો હતો કે આટલા મોટા સ્ટાર સાથે સ્ક્રીન કેવી રીતે શેર કરવી પરંતુ વિક્રમભાઈના પ્રેમ અને સહકારથી તે ખુલ્લીને અભિનય કરી શક્યો હતો. બંને વચ્ચે નિયમિત ફોન પર વાતો પણ થતી હતી પરંતુ વાતે દરમિયાન વિક્રમ ઠાકોર એક ચોકાવનારી વાત શેર કરી હતી તેમની એવી માહિતી મળી હતી કે ચંદનના પરિવારમાં પાછલા કેટલાક સમયથી કોઈ બાબતે થોડી રગચક કે સમસ્યાઓ ચાલી રહી હતી. પરિવારમાં ચોક્કસ કઈ બાબતે તણાવ હતો તેની સંપૂર્ણ સ્પષ્ટતા ન હતી પરંતુ કંઈક હણબણાવ ચાલી રહ્યો હોય એવા સમાચાર પણ તેમના સુધી પહોંચ્યા હતા. આ નિવેદન એટલા માટે પણ ખૂબ જ ગંભીર બની જાય છે
કારણ કે અકસ્માતના માંડ ત્રણ થી ચાર કલાક પહેલા જ ચંદન રાઠોડે સોશિયલ મીડિયા પર એક અત્યંત દર્દનાક પોસ્ટ મૂકી હતી તેમણે લખ્યું હતું કે જેનો ભરોસો નથી એ જિંદગી છે અને જે નિશ્ચિત છે તે મોત છે હવે લોકોને ચાહકોના મનમાં એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર પારિવારિક રગચક અને માનસિક ટેન્શનના કારણે તેમને આવી પોસ્ટ મૂકી હતી કે પછી કુદરતને ખરેખર તેમને પોતાના અંતિમ સમયનો સંકેત આપી દીધો હતો આ રહસ્ય હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે ને બાબર પોલીસ પણ આ માર્ગ અકસ્માત ક્યાં સંજોગોમાં સર્જાયો છે
તેની ઊંડાણપૂર્વકતા પાસે કરી રહી છે. સૌથી વધુ દર્દનાક પાસું એ છે કે ચંદનનો સમગ્ર પરિવાર સંપૂર્ણપણે તેના પોતાના ખંભા પર જ નિર્ભર હતો. તેને રાત દિવસ એક કરીને પરિવારની જવાબદારી ઉપાડી હતી અને ઘરનો આર્થિક આધાર બન્યો હતો. આજે પરિવારનો એમો ભી અચાનક ચાલ્યો જતા પાછળ રહેલા સ્વજનો નિરાધાર બની ગયા છે. વિક્રમ ઠાકોરે પણ આ બાબતે ભારે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આટલી નાની ઉંમરે આમ અચાનક વિદાય લેવી એ પરિવાર માટે અસહ્ય વજ્રપાત સમાન છે. ઈશ્વર ચંદન રાઠોડના આત્માને ચિર શાંતિ આપે અને તેમના પરિવારને આ મુશ્કલ સમયમાં હિંમત આપે ઓમ શાંતિ