અમદાવાદના ટોચના ૮ સૌથી ધનિક બિઝનેસમેન (નંબર ૧ થી ૮)ગુજરાતનું આર્થિક એન્જિન એટલે અમદાવાદ. અહીંની હવામાં જ વેપાર છે. ભૂતકાળમાં મિલના ભુંગળામાંથી નીકળતા ધુમાડાની સુગંધ ઓળખીને જે અહીં સેટ થઈ ગયા, તે આજે બાદશાહ બની ગયા છે. ક્યારેક પાવભાજી કે કાંકરિયાની પાળે વડાપાઉં વેચતો અમદાવાદી આજે કરોડોની કોર્પોરેટ કંપનીનો માલિક છે.આવો જાણીએ અમદાવાદની સૌથી ધનિક આઠ હસ્તીઓ વિશે
:૮. રાજીવ મોદી (કેડિલા ફાર્માસ્યુટિકલ્સ) * કુલ સંપત્તિ: ₹૮,૫૦૦ કરોડ * વિગત: પિતા ઇન્દ્રવદન મોદીના અવસાન બાદ કેડિલા ફાર્માસ્યુટિકલ્સની જવાબદારી રાજીવ મોદી પર આવી. તેમણે બાયોટેકનોલોજી અને રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીનો વેપાર આફ્રિકા અને યુરોપ સુધી ફેલાવ્યો. * સામાજિક કાર્ય: ભરૂચના હંસોટમાં આવેલી ‘કાકાબા હોસ્પિટલ’ દ્વારા ગરીબ દર્દીઓને મફત કે સાવ નજીવા દરે સારવાર આપવામાં આવે છે. * ચર્ચા: વિદેશી ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર આક્ષેપો અને કેસના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
૭. અચલ બખેરી (સિમ્ફની લિમિટેડ) * કુલ સંપત્તિ: ₹૧૧,૦૦૦ કરોડ * વિગત: વર્ષ ૧૯૮૮માં એક ખૂણામાંથી સુંદર અને અવાજ વગરના એરકુલર બનાવવાની શરૂઆત કરી હતી. ૨૦૦૦ની સાલમાં કંપની દેવામાં ડૂબી ગઈ હોવા છતાં, મજબૂત માર્કેટિંગ સ્ટ્રેટેજીથી કંપનીને ફરી સક્સેસના પાટા પર લાવી દીધી. * સામાજિક કાર્ય: તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ગુપ્તદાન કરવા માટે જાણીતા છે.૬. ભદ્રેશ શાહ (એઆઈ એન્જિનિયરિંગ – AIA Engineering) * કુલ સંપત્તિ: ₹૨૧,૦૦૦ કરોડ * વિગત: પાવર પ્લાન્ટ માટે નાના કમ્પોનન્ટ્સ બનાવવાથી શરુઆત કરી હતી. શરૂઆતમાં માલ રિજેક્ટ થવા છતાં હિંમત હાર્યા વગર માર્કેટમાં પગપેસારો કર્યો. બેલ્જિયમની બહુરાષ્ટ્રીય કંપની ‘મેગોટેક’ સાથેના વ્યાપારી વિવાદમાં વિજય મેળવીને પોતાની તાકાત બતાવી હતી. * સામાજિક કાર્ય: પછાત અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે કરોડો રૂપિયાની સ્કોલરશિપ અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડે છે
.૫. સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ લિમિટેડ) * કુલ સંપત્તિ: ₹૨૬,૦૦૦ કરોડ * વિગત: શરૂઆતમાં ઈસબગુલના ધંધામાં મોટી ખોટ ખાધા પછી, તેમણે ભારતમાં પ્રથમ વખત CPVC પાઇપ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં લોકો પ્લાસ્ટિકની પાઇપ સ્વીકારવા તૈયાર નહોતા, પણ પ્લમ્બરોને ઘરે ઘરે જઈને સમજાવીને માર્કેટ ઊભું કર્યું. * બ્રાન્ડિંગ: બોલિવૂડના દિગ્ગજ કલાકારોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને પ્રોડક્ટને ગ્લેમરસ બનાવી. * સામાજિક કાર્ય: શાળાઓને આધુનિક અને ડિજિટલ બનાવવા ખુલ્લા હાથે દાન આપે છે.
૪. કરસનભાઈ પટેલ (નિર્મા ગ્રુપ) * કુલ સંપત્તિ: ₹૩૫,૦૦૦ કરોડ * વિગત: સરકારી નોકરીની સાથે ઘરના પાછલા વાડામાં ડિટર્જન્ટ પાવડર બનાવી, સાયકલ પર ઘરે-ઘરે જઈને ₹૩ પ્રતિ કિલોના ભાવે વેચવાનો તેમનો સંઘર્ષ આજે બિઝનેસ સ્કૂલોમાં ભણાવાય છે. હાલમાં તેઓ અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય છે
.૩. સુધીર મહેતા અને સમીર મહેતા (ટોરેન્ટ ગ્રુપ) * કુલ સંપત્તિ: તકરીબન ₹૫૮,૦૦૦ – ૫૮,૦૦૦ કરોડ (બંને ભાઈઓનો સમાન હિસ્સો) * વિગત: પિતાએ સ્થાપેલી નીવ પર બંને ભાઈઓએ પાવર અને ફાર્મા સેક્ટરમાં સાહસિક નિર્ણયો લઈને વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. સિપલા અને રિલાયન્સ કેપિટલ જેવી કંપનીઓ ખરીદવા માટે હજારો કરોડની બોલી લગાવીને કોર્પોરેટ જગતને ચોંકાવી દીધું હતું. * સામાજિક કાર્ય: અમદાવાદની ‘યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ’ દ્વારા લાખો રૂપિયાની હાર્ટ સર્જરી ગરીબ દર્દીઓ માટે મફત કે સબસિડીવાળા દરે કરી આપવામાં આવે છે.
૨. પંકજ પટેલ (ઝાયડસ લાઈફસાયન્સ) * કુલ સંપત્તિ: ₹૭૧,૦૦૦ કરોડ * વિગત: ફાર્માસ્યુટિકલ સાયન્સનો ઊંડો અભ્યાસ કરીને ગ્રાઉન્ડ લેવલથી કામ શરૂ કર્યું. ૧૯૯૫માં કેડિલાના ભાગલા પડ્યા બાદના કૌટુંબિક અને વ્યાપારી વિવાદમાંથી બહાર આવીને ઝાયડસને નવી ઊંચાઈઓ પર પહોંચાડી.૧. ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ) * કુલ સંપત્તિ: ₹૧૧ લાખ કરોડ * વિગત: માત્ર ૧૬ વર્ષની ઉંમરે મુંબઈના હીરા બજારમાં સામાન્ય નોકરીથી શરૂઆત કરનાર ગૌતમ અદાણી આજે અમદાવાદના જ નહીં પરંતુ દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ છે. મોટો રિસ્ક ફેક્ટર અને કઠિન પરિશ્રમ તેમની સફળતાનું મુખ્ય કારણ છે.અમદાવાદ અને અમદાવાદીઓ વિશેની ગેરસમજોનું ખંડન
:૧. “અમદાવાદીઓ કંજૂસ છે”: આ વાત સદંતર ખોટી છે. અમદાવાદના લોકો જેટલા ખુલ્લા હાથે પૈસા વાપરે છે અને દાન-પુણ્ય કરે છે, તેવું ઉદાર દિલ બહુ ઓછું જોવા મળે છે.૨. “મેહમાનગતિ નથી આવડતી / રસ્તો બતાવવાના પૈસા માંગે છે”: આ માત્ર એક ભ્રમ અને અફવા છે. અમદાવાદનો સામાન્ય માણસ જરૂરિયાતમંદ કે અજાણ્યા વ્યક્તિને ગલીના નાકા સુધી મૂકવા જવાની ભાવના ધરાવે છે.અમદાવાદ એ આખા ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ ભરતું શહેર છે. છતાં ટ્રાફિક અને રોડ-રસ્તાની સમસ્યાઓ ઉકેલાય અને નાગરિકોને સીધો ફાયદો થાય તેવી સુવિધાઓ વધુ મજબૂત થાય તે જરૂરી છે.