મૌલવી અને મૌલાના આ સમયે એક નિવેદન આપી રહ્યા છે. પશુ તમારી બુદ્ધિ છે. તમે જોયું જ હશે કે દેશમાં અચાનક ઘણા મુસ્લિમ સંગઠનો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મુસ્લિમ સંગઠનોને નકલી બુદ્ધિજીવીઓ અને ડાબેરીઓનું ખૂબ સમર્થન મળી રહ્યું છે?
પરંતુ શું તમારા મનમાં એ સવાલ નથી આવી રહ્યો કે મુસ્લિમોને અચાનક ગાય પ્રત્યે આટલો પ્રેમ કેમ થઈ ગયો? આની પાછળ કોઈ એજન્ડા તો ચોક્કસ હશે જ. હવે પહેલીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુદ્દે એક બહુ મોટું નિવેદન આપી દીધું છે. સીએમ યોગીએ ગાયના નામે એજન્ડા ચલાવનારાઓને એક્સપોઝ કરી દીધા છે. સીએમ યોગીનું નિવેદન તમારા રૂંવાડા ઉભા કરી દેશે અને એજન્ડા ચલાવનારાઓને બેનકાબ કરી દેશે
. આ આખું નિવેદન અમે તમને સંભળાવીશું. તમામ મૌલવી અને મૌલાના આ સમયે એક નિવેદન આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરાવી દો. પરંતુ હું આ બધાનો એજન્ડા જાણું છું. સીએમ યોગીએ કહ્યું કે ગાય આપણા માટે માતા છે. ગાય પશુ નથી. પશુ તો તમારી બુદ્ધિ છે જે તમે અમારી ગૌમાતાને પશુ કહો છો. સીએમ યોગીએ કહ્યું કે શું માતા અને પુત્ર વચ્ચે કંઈ જાહેર કરવાની જરૂર પડે છે? શું કોઈ પુત્રને એ જણાવવું પડે છે કે આ તારી માતા છે, આનું સન્માન કર. આપણે આપણી માતાનું સન્માન કરીએ છીએ, આ આપણા સંસ્કાર છે.
સીએમ યોગીના જણાવ્યા અનુસાર મૌલાના અને મૌલવી બેવડું વલણ અપનાવી રહ્યા છે. આ લોકો એક તરફ તો ગાય કાપે છે અને બીજી તરફ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરાવવાનું નાટક કરે છે. સીએમ યોગીએ કહ્યું કે મેં બકરી ઈદ પર જોયું કે તેમના તમામ ચેલેચપાટાઓએ (ચેલાઓએ) પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બકરી ઈદના અવસરે ગાયની તસવીરો મૂકી હતી. આ લોકો ગાયની તસવીરો મૂકીને બકરી ઈદની શુભેચ્છા આપી રહ્યા હતા. આવો હવે તમને સીએમ યોગીનું આ ધમાકેદાર નિવેદન સંભળાવીએ. એક ટ્રેન્ડ જોઈ રહ્યો છું. તમામ મૌલવી અને મૌલાના આ સમયે એક નિવેદન આપી રહ્યા છે. કહી રહ્યા છે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો. અરે અમે કહ્યું કે ગૌ અમારી માતા છે, જન્મ જન્માંતરનો નાતો છે. શું માતા અને પુત્ર વચ્ચે કંઈ જાહેર કરવાની જરૂર પડે છે ખરી?
શું કોઈ પુત્રને જણાવવાની જરૂર પડે છે કે આ તારી માતા છે આનું સન્માન કર. આ આપણા સંસ્કાર છે. આપણે આપણી માતા વિશે જે સન્માનનો ભાવ રાખીએ છીએ તે જ, અને અમે ગાયને માતા માની છે. તો ગાય તો આપણા માટે માતા છે. તે પશુ નથી, પશુ તમારી બુદ્ધિ છે, જે તમે અમારી ગૌમાતાને પશુ કહો છો. તમારી વિચારસરણી પશુ જેવી છે જે તમે ગૌમાતાને પશુ કહી રહ્યા છો અને આ તમારું બેવડું વલણ છે કે જે એક તરફ ગૌહત્યાને આશ્રય આપો છો. હું જોઈ રહ્યો હતો બકરી ઈદમાં તેમના તમામ ચેલેચપાટાઓ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બકરી ઈદ પર ગૌમાતાનું ચિત્ર બતાવીને કહી રહ્યા હતા, બકરી ઈદની શુભેચ્છા આપી રહ્યા હતા. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે યુપીમાં ગૌહત્યાનો મતલબ સમજી રહ્યા છો ને શું થશે? જો સમજી રહ્યા છો તો પછી પોતાના ચેલેચપાટાઓને સમજાવી લો. નહીં તો ઘણી પેઢીઓ યાદ રાખશે જો ગૌમાતા સાથે કોઈ પણ પ્રકારની ગુસ્તાખી કરી તો.