શું સની દેઓલ ગોવિંદાનો ડૂબતો કારકિર્દી બચાવી શકશે?હાલમાં એક મોટી ચર્ચા સામે આવી રહી છે કે સની દેઓલ આવનારા સમયમાં કોઈ ફિલ્મમાં ગોવિંદાને મોટું પાત્ર અપાવવા માટે ગંભીર પ્રયાસ કરી રહ્યા છે. કહેવાય છે કે સની દેઓલ પોતાના નાના ભાઈ સમાન ગોવિંદાની મદદ માટે ખાસ પગલું ભરી શકે છે.સની દેઓલે છેલ્લા થોડા વર્ષોમાં જબરદસ્ત વાપસી કરી છે. ખાસ કરીને ગદર એક પ્રેમ કથા જેવી અત્યંત સફળ ફિલ્મે તેમને ફરી સુપરસ્ટાર બનાવી દીધા હતા.
વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી આ ફિલ્મે ટિકિટબારી પર ધમાકેદાર કમાણી કરી અને આજે પણ લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં આ ફિલ્મ માટે ગોવિંદાનું નામ વિચારવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે કે ગોવિંદાએ ફિલ્મની વાર્તા અને
ગંભીર સંવાદોને કારણે આ ઓફર નકારી દીધી હતી. બાદમાં આ જ ફિલ્મ સની દેઓલને મળી અને તે તેમની કારકિર્દી માટે મોટો વળાંક સાબિત થઈ.બીજી તરફ ગોવિંદાની વાત કરીએ તો ૨૦૧૯માં આવેલી રંગીલા રાજા પછી તેઓ મોટી ફિલ્મોમાં જોવા મળ્યા નથી.
તાજેતરમાં અભિનેતા પરેશ રાવલએ જાહેર કર્યું હતું કે ભાગમ ભાગ ૨માં ગોવિંદાની જગ્યાએ મનોજ બાજપેયીને લેવામાં આવ્યા છે. જેના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી.હાલમાં એવી ચર્ચાઓ છે કે સની દેઓલ ગોવિંદાને ફરીથી મોટા પડદા પર લાવવા માટે ખાસ પ્રયત્ન કરશે. સની દેઓલની તાજેતરની સફળતાઓ અને આવનારી ફિલ્મો તેમને મજબૂત સ્થિતિમાં રાખે છે, જેથી તેઓ ગોવિંદાને સારો અવસર આપી શકે.હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર સની દેઓલ અને ગોવિંદા એકસાથે ફિલ્મમાં દેખાશે? અને જો આવું બને તો શું ગોવિંદાની કારકિર્દી ફરી ચમકી ઉઠશે?આ બાબતે તમારું શું માનવું છે?