Cli

16 વર્ષ પછી ઘરે પહોંચ્યો જવાનનો મૃતદેહ જન્મ પછી દીકરીએ પ્રથમ વાર પિતાનું મોઢું જોયું….

Breaking

ભારતીય જવાનોની વાત કરીએ તો પોતાના પરિવારની અને જીવની ચિંતા કર્યા વગર રાત દિવસ દેશની સેવા કરે છે અને દેશ માટે શહીદ પણ થઈ જાય છે જ્યારે દેશ માટે શહીદ થાય છે ત્યારે પૂરો દેશ એમનું સન્માન કરે છે અને એમની વિરગતિ દેશ ભૂલતો નથી જ્યારે આ જવાન 24 કલાક દેશ માટે જીવ આપવા પણ તૈયાર હોય છે જવાનોને દેશ ની સેવા કરતા ઘણા વર્ષો પછી પોતાના પરિવાર ને મળવા જતા હોય છે અહીં એવા જવાન ની વાત કરી રહ્યા છીએ કે તેઓનું 16 વર્ષે પોતાના વતન મૃતદેહ આવે છે અને એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે

અમે જે જવાન વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ અમરીશ ત્યાગી છે અમરીશ ત્યાગી ભારતીય સેનાના સૈનિક હતા જેમણે 3 અન્ય સૈનિકો સાથે વર્ષ 2005 માં હિમાલયના સૌથી ઊંચા શિખર સતોપંથ પર તિરંગો ફરકાવ્યો હતો જ્યાંરે તે પોતાના સાથીઓ સાથે પાછો નીચે આવી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી ગયો અને તે બધા બરફના ખાડામાં પડી ગયા ત્યારબાદ એક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 1 વર્ષ બાદ 3 મૃતદેહો મળી આવ્યા પરંતુ અમરીશ ત્યાગીનો મૃતદેહ મળ્યો નહીં અને ત્યારબાદ વર્ષ 2006 માં તેને મૃત જાહેર કરવામાં આવ્યો

હવે 15 વર્ષ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે અને સંપૂર્ણ તપાસ બાદ જાણવા મળ્યું કે આ મૃતદેહ અમરીશ ત્યાગીનો છે અને ત્યારબાદ તે મૃતદેહ તેના ઘરે લાવવામાં આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેની પુત્રીનો જન્મ પણ થયો ન હતો અને આજે તેની પુત્રી તેના શહીદ પિતાના મૃતદેહને જોઈ રહી છે તેમની પુત્રીએ બધાની સામે કહ્યું કે હું પણ મારા પિતાની જેમ ભારતીય સેનામાં જોડાઈશ અને આ સાંભળીને દરેક ભાવુક થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *