Cli

અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચે પડી તિરાડ હવેથી કપિલના શોમાં નહીં જાય…

Bollywood/Entertainment

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે એમની આવનાર ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશનમાં લાગ્યા છે પરંતુ એમણે હવે કપિલ શર્માના શોમાં એમની ફિલ્મનું પ્રમોશન કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે બતાવવામાં આવી રહ્યું છેકે અક્ષય કુમાર કોમેડિયન કપિલથી ખુબજ નારાજ છે એક રિપોર્ટ મુજબ અક્ષય કુમારે.

એક શોમાં જણાવ્યું હતું કે કપિલ શર્મા અને તેની ટીમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિશે કરવામાં આવેલ મજાકનો સીનને પ્રસારણ ન કરવા વિનંતી કરી હતી પરંતુ કપિલ શર્માએ તેની વાત ન માની જેના કારણે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ ખિલાડી કુમારને લાગે છેકે કોમેડિયને તેનો ભરોસો તોડ્યો છે.

તેથી તેમણે કપિલ શર્મા પાસેથી ચોખવટ માંગી છે જણાવી દઈએ અક્ષય કુમાર અતરંગીરે પ્રમોશનમાં ગયા હતા આ દરમિયાન કપિલ શર્માએ અક્ષય અને પ્રધાનમંત્રીને લઈને એક ઇન્ટરવ્યૂની મજાક કરી હતી એ સીન ડીલીટ કરવા માટે અક્ષય કુમારે કપિલને કહ્યું હતું પરંતુ કપિલ ન માન્યા તેથી અક્ષય કુમાર કપિલથી નારાજ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *