Cli
એક સાથે ચાર બાળકોના મૃતદેહને અગ્નિસંસ્કાર આપ્યો, પુરા ગામમાં શોકનો માહોલ છવાયો...

એક સાથે ચાર બાળકોના મૃતદેહને અગ્નિસંસ્કાર આપ્યો, પુરા ગામમાં શોકનો માહોલ છવાયો…

Breaking

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાથી એક ભયાનક દુર્ઘટના થઈ છે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર શાળાના બાળકોના મોત થયા હતા આ અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલ વિધાર્થીઓને અત્યારે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ચાર બાળકોના નિધન થયા હતા.

ઘટના સ્થળે મૃત પામેલ બાળકો ઉજ્જેનના ઉનહેલ ગામના રહેવાસી હતા અકસ્માત બાદ જ્યારે બાળકોના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં હૈયાફાટ રુદન થયું હતું સોમવારે સાંજે ચારેય બાળકોના એકજ જગ્યાએ અંતિમ સંસ્કાર આપવમાં આવ્યા હતા અંતિમસંસ્કાર સમયે આખું ગામ રડી પડ્યું હતું બાળકોના.

નિધન બાદ પરિવારનો રડી રડીને ખરાબ હાલત થઈ હતી જેમાં 6 વર્ષની ઇનાયા નિધન પામ્યા તેની સમાચાર સાંભળતા તેની માતા બેહોશ થઈ ગઈ હતી મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં 13 વર્ષીય ભવ્યાંશ 18 વર્ષીય સુમિત 6 વર્ષની ઇનાયા અને 15 વર્ષની ઉમાનો સમાવેશ થાય છે સોમવારે ઉજ્જૈન અને ઉનહેલ રોડના.

ઝિર્યા ફાંટે પર એક ભયાનક અકસ્માત થયો હતો સ્કૂલવાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી સ્કૂલવાનમાં ટોટલ 15 બાળકો સવાર હતા જેના કારણે 4 બાળકોના મોત થયા છે જ્યારે 11 બાળકો ઘાયલ થયાછે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટ્રક ચલાવનાર આરોપી ટ્રક ડ્રાયવર ફરાર થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *