ગુજરાતમાં હમેશા ગરીબોની પડખે ઉભા રહેતા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ જેઓ રાત દિવસ જોયા વગર જરૂરિયાત મંદોની પડખે ઉભા રહે છે એક સમયે તૌકતે નામનું ભયં!કર વાવઝોડુ આવ્યું ત્યારે પણ ઘણા લોકોની મદદ નીતિન ભાઈએ કરી હતી જેમાં રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરી હતી નીતિનભાઈ જાનીનું છેલ્લા કેટલાય સમયથી એક સપનું હતું.
તેઓ એક વૃદ્ધાશ્રમ બનાવે જેમાં ઘરવિહોણા વૃદ્ધ લોકો રહી શકે આજે તે એમનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું છે આજે નીતિનભાઈ એમની ટિમ તથા વડીલો સાથે ગૌ શાળા અને વૃદ્ધાશ્રમ બનાવવાની શરૂઆત કરતા આજે ભૂમિ પૂજન કર્યું હતું હતું જે સુરતના મહુવામાં આવેલ રણાત ગામે ગૌ શાળા અને વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે.
અહીં વૃદ્ધાશ્રમમાં 500 માણસો રહી શકશે તેટલું વિશાળ બનાવવામાં આવશે આજે નીતિન ભાઈ તથા એમની સમગ્ર ટિમ અને વડીલો ભૂમિ પૂજનમાં હાજર રહ્યા હતા મિત્રો ખજુરભાઈના આ કામને સાથ સહકાર આપવા વિનંતી છે અને આ પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ન ભૂલતા જેથી આ સારું કામ જોઈને બીજા લોકો પણ શીખી શકે.