બોલીવુડની ક્વીન કંગના રનૌત પોતાના નીડર સ્વભાવ માટે ખૂબ જ જાણીતી છે મામલો પાવડર સંબંધિત હોય કે બળા!ત્કાર સંબંધિત કંગના દરેક બાબતે ખુલીને પોતાનો પક્ષ રાખે છે તેને ન તો સરકારનો ડર છે ન તો બોલીવુડમાં કોઈ વ્યક્તિનો અને આ વાત બધા જ જાણે છે સુશાંત સિંહ રાજપૂતના માટે કંગનાએ બોલીવુડમાં જાતિવાદ અને પાવડરને લઈને એક એક અભિનેતા અને અભિનેત્રી વિશે ખુલ્લેઆમ પોતાના વિચાર રજૂ કર્યા હતા.
તેમજ મહારાષ્ટ્ર સરકાર સામે તેને કરેલી ખુલ્લી ચેતવણીને ન જ ભૂલી શકાય આટલી હદે નીડર હોવા છતાં શાહરૂખ ખાનના દીકરા આર્યનના કેસ મામલે કંગનાએ કોઈ નિવેદન આપ્યું નહોતું જ્યારે ચારેકોર લોકો આ કેસની ચર્ચા કરી રહ્યા હોય એંસીબી તપાસમાં અનેક ખુલાસાઓ થયા હોય તેમ છતાં અનેક લોકો આર્યનના પક્ષમાં બોલી રહ્યા હોય ત્યારે કંગના ચૂપ કેમ રહી શકે.
જો કે અત્યાર સુધી આ મામલે ચૂપ રહેનારી કંગનાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેમને આર્યનને સપોર્ટ કરનાર લોકોને માફિયા પપ્પુ કહ્યા છે કંગનાએ સોશીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જેમાં તેમને લખ્યું હતું કે આપણે બધા જ ભૂલો કરીએ છીએ પરતું આપણે તેને મહાન ન બનાવી જોઈએ.
કોઈ વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં હોય ત્યારે તેના વિશે ગોસીપ ન કરવી જોઈએ પરતું આશા છે કે આ કેસ બાદ આર્યનને એક સારો વ્યક્તિ બનાવામાં મદદ મળશે અને તેને પોતાના કામના પરિણામની જાણ થશે આપણે વ્યક્તિને તેની ભૂલનો અહેસાસ કરાવવો જોઈએ તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી સલમાન ખાન જેવા જાણીતા અભિનેતા આ કેસમાં આર્યનની તરફેણ કરી રહ્યા હતા.