થોડો સમય પહેલા જે ગીર સોમનાથ જિલ્લામાં 14 વર્ષની માસુમ બાળકી ઉપર અં!ધશ્રદ્ધા રાખી વરગાળ ની ભ્રામક વાતો કરીને તાંત્રીક વિધીના નામે જીવલેણ ત્રાસ આપીને સાત દિવસ સુધી ભુખી તરસી રાખી વાયર વડે લાકડી વડે ફટકારી મો!તને ઘાટ ઉતારનાર એનો નિર્દય પિતા ભાવેશ અકબરી.
જેલમાં ધકેલાયો હતો જેની સાથે કશુરવાર એનો ભાઈ દિલીપ અકબરી પણ હતો આજે ભાવેશ અકબરી ને પોતાના કરેલા આ કૃત્ય નો પસ્તાવો હોય એવું સામે આવ્યું હતુ મિડીયા અહેવાલ મુજબ ભાવેશ અકબરી એ જેલમાં જણાવ્યું હતું કે મારી દિકરી ધૈયા નાની હતી ત્યારે માસુમતાથી.
કહેતી હતી પપ્પા હું મોટી થાઈ ને ડોક્ટર બનીશ અને તમારું નામ ખુબ રોશન કરીશ તમારે અને મમ્મી ને દવા દેવા ક્યાંય જાવુ નહીં પડે એની કાલીઘેલી ભાષામાં બોલાયેલા આ શબ્દો હજુ પણ મને યાદ છે આજે મને દિકરી ખુબ યાદ આવે છે એ હંમેશા મને ઘેર આવતા ભેટી પડતી હતી પાણીનોગ્લાસ લઈને દોડી આવતી કહેતી પપ્પા તમે મારા હાથે જ.
પાણી પીવો એને અચાનક કંઈક થઈ ગયું હતું અને તેનું વર્તન બદલાઈ ગયું હતું જેનાથી અમને એવું લાગ્યું હતું કે એનામાં કોઈ વરગાળ કે ભૂત પ્રેત છે આજે મેં મારી દીકરીને ગુમાવી છે એનું મને ખૂબ જ દુઃખ છે ભાવેશ અકબરીયે પોતાની દીકરી માટે જેલમાં દુઃખ વ્યક્ત કર્યું પરંતુ દીકરી ફરી પાછી આવી શકતી નથી.