Cli

શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડતા જ પાછી ફરી દયા ભાભી…

Bollywood/Entertainment Breaking

શૈલેષ લોઢાએ તારક મહેતા શોને શું છોડ્યો અસિત મોદીએ તેનો બદલો એવી રીતે લઈ લોધો જેની ઉમીદ કદાચ કોઈને નહીં હોય અસિત મોદી હવે તારક મહેતા શોમાં આ શોનો જીવ દયા બેનની એન્ટ્રી કરાવી રહ્યા છે અને આ કોઈ અફવા કે સૂત્રની જણાવેલ ખબર નથી પરંતુ ખુદ અસિત મોદીએ પોતાના મોઢે આ વાતને કન્ફ્રર્મ કરી છે.

હાલમાં ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું એવું કોઈ કારણ નથી કે દયાબેનના પાત્રને ફરીથી શોમાં ન બતાવાયા અમે બધાએ હાલમાં મુશ્કેલ સમયનો સામનો કર્યો છે છેલ્લા 2 વર્ષ અમારા માટે ખુબ કઠિન રહ્યા પરંતુ હવે વસ્તુઓ સારી થઈ ગઈ છે હવે અમે દયા બેનના પાત્રને અમે પાછા લાવવા જઈ રહ્યા છે.

અને દર્શકોને એકવાર ફરીથી જેઠાલાક અને દયાભાભી નો રમુજી અંદાજ જોવા મળશે જયારે અસિતને પૂછવામાં આવ્યું કે દયાબેનના પાત્રમાં દિશા વકાની પાછી ફરશે કે બીજું કોઈ આ પાત્ર નિભાવશે તેના પર અસિત મોદીએ કહ્યું કે મને હજુ સુધી ખબર નથી કે દિશા વકાની દયાબેનના રૂપમાં પાછી ફરશે કે નહીં દિશા સાથે અમારે સારા સબંધ છે.

પરંતુ હવે તેઓ લગ્ન કરેલ છે દરેક પોતાની જીમ્મેદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ જે પણ દિશાબેન કે નિશાબેન હશે પરંતુ તમને દયા જરૂર મળશે અમે તમને એજ આપવાની કોશિશ કરીશુ જે અમે તમને પહેલા આપ્યું હતું અહીં મોદીના ઇન્ટરવ્યૂ બાદ દાવો કરાઈ રહ્યો છેકે દિશા વકાણીએ શોમાં આવવાના છે અને આવવા માટે ત્રણ મોટી શરતો પણ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *