બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના આકસ્મિક નિધન બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનું માતમ છવાયું છે છેલ્લા 40 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો ડિરેક્ટ કરી અને ફિલ્મોનું નિર્માણ કરી અને 100 થી વધારે.
ફિલ્મોમાં અભિનય કરનાર સતીશ કૌશિક અચાનક હોળીનો તહેવાર ઉજવી મિત્રો સાથે મજાક મસ્તી કરી એ જ રાત્રીના દોઢ વાગ્યાના સમયે દિલ્હીની ઇવેન્ટમાં ભાગ લીધા બાદ ગુરુગ્રામ નજીક ગાડીમાં હદ્વય રોગનો હુ!મલો આવતા મોતને ભેટ્યા હતા તેમને ગુરુગ્રામની ફોર્ટીજ હોસ્પિટલમાં સારવાર.
હેઠળ ખસેડાયા હતા પરંતુ ડોક્ટરો એ તેમને મૃત જાહેર કર્યા હતા તેમને ગાડીમાં જ અંતિમ શ્વાસ લીધા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી કલાકારો અને સેલેબ્સ ઉમટી પડ્યા હતા.
તેમના અંતિમ દર્શન કરવા માટે સલમાન ખાન રણબીર કપૂર અભિષેક બચ્ચન શિલ્પા શેટ્ટી અનુપમ ખેર જાવેદ અખ્તર સજંય દત્ત જોની લીવર ફરાન અખ્તર જેવા ઘણા બધા નામી અનામી કલાકારો ઉમટી પડ્યા હતા કલાકારો ની આંખો માં આંશુ સાથે તેમના ચહેરા પર દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.
સૌને હસાવતા સતિશ કૌશીક આ દુનિયામાં થી હંમેશા માટે પોતાની માસુમ 12 વર્ષની દિકરી વંશીકા અને પત્ની શશી કૌશિક ને છોડી ને ચાલ્યા ગયા તેમની અંતિમયાત્રા માં હજારોની સંખ્યામાં જનમેદની જોવા મળી હતી મુંબઈ વસોવા હિન્દુ સ્મશાન ઘાટ માં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામા આવ્યો હતો.
તેમના અંતિમ સંસ્કાર બાદ ભગવાન રામ નું સ્મરણ કરીને સ્મશાન ઘાટ માં તેમના આત્માની શાંતિ માટે પ્રાથના કરવામાં આવી હતી આજે એક કલાકાર જ નહીં પરંતુ ઉમદા ચરીત્રવાન નેકદિલ ઈમાનદાર વ્યક્તિ ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખોટ પડી છે ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ.