25 જાન્યુઆરી 2022 ના રોજ ધંધુકામાં કિશન ભરવાડ ની ગો!ળી મારીને હ!ત્યા કરી દેવામાં આવી હતી ઇસ્લામ ધર્મની નિંદા ના પગલે તેમની હ!ત્યાના થોડા દિવસો પહેલા કિશન ભરવાડ પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી તેમની હ!ત્યા ના મામલે પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી અને આ તમામ.
લોકો હાલ જેલમાં છે આ ઘટનાના દસ મહિના બાદ તેમના પિતાએ બીબીસી ન્યૂઝ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ પણ ઘણીવાર અમારા છોકરાઓ જ્યારે ધંધુકા જાય છે ત્યારે એમના લોકો ઘણી વાર હેરાન કરે છે અને સરકારે જે વાયદા વચ્ચેનું આપ્યા હતા તે હજુ કાગળ પર છે કોઈ સહાય હજુ સુધી.
અમારી પાસે આવી નથી શરૂઆતમાં જે લોકોએ આર્થિક મદદ કરી હતી તે મળી હતી પરંતુ સરકારી નોકરીની અમે રજૂઆત કરી છે જે મામલે હજુ સુધી અમને કોઈ વળતો જવાબ મળ્યો નથી આ ઘટના ના પગલે ધંધુકા માં અંશાતિ કલમ લગાડવામા આવી છે જેમાં હિંદુ મુસ્લિમ ધર્મના લોકોએ પોતાનું મકાન એકબીજાને.
વેચતા પહેલા કલેકટર ની પરવાનગી લેવી પડે છે આ ઘટનામાં બીબીસી ન્યુઝ સંવાદાતાઓ એ આજુબાજુના લોકો સાથે વાત કરી જેમાં બંને ધર્મના લોકો સામેલ હતા કોઈ પણ નેગેટિવ પ્રતિક્રિયા સામે આવી નહોતી હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો જણાવી રહ્યા હતા કે આ ઘટના બાદ કોઈપણ જાતનું વિખવાદ.
અમારી વચ્ચે જોવા મળ્યો નથી બધા હળી મળીને એકબીજાના તહેવારોમાં રહે છે અને એકબીજાને મદદરૂપ પણ થાય છે રાજકીય સ્ટંટ કદાચ હોઈ શકે તો નાની મોટી બોલાચાલી જોવા મળે છે પરંતુ વિખવાદો હાલ રોકાઈ ગયા છે અને અમે એ જ અપીલ કરીએ છીએ કે ધાર્મિક એકતા જાળવીને એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ.
તો એક મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે કોઈ જાતનો વીખવાદ નથી એ લોકોએ મકાન વેચવા માટે કાઢ્યા છે એની કોઈ આવશ્યકતા નથી બધા હળીમળીને રહે છે અહીંયા શાંતિ નો માહોલ છે કોઈએ ધંધુકા છોડીને જાવાની આવશ્યકતા નથી ઘણા હિન્દુ ધર્મ ના લોકોએ પણ શાંતિ નો માહોલ છે અને પોતે અહીંયા સુરક્ષીત જ છે એવું જણાવ્યુ હતુ.