Cli
dhukhad nidhan actress bollywood final

બોલીવુડમાં છવાયો માતમ ! ફરી એક દિગ્ગજ અભિનેત્રીનું દુખદ નિધન ! આ બીમારીને કારણે…

Bollywood/Entertainment

છેલ્લા થોડાક સમયથી જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્દસ્ત્રની અંદર અનેક એવી દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને પુરી ઇન્ડસ્ટ્રી દુઃખમાં ગરકાવ થતી હોય છે, તમને ખબર જ હશે કે હાલ અનેક એવા મોટા મોટા દિગ્ગજ કલાકરો આ દુનિયાને છોડી જતા રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત. સતીશ કૌશિક તથા પ્રખ્યાત સિંગર એવા કેકે જેવા સારા સારા કલાકારો હવે આ દુનિયામાં નથી રહ્યા.

એવામાં વધુ એક દુઃખભરી ખબર હાલ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી સામે આવી છે કારણ કે ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર અભિનેત્રી એવામાં ભેરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે, તેઓના નિધનની આ ખબરને સુરભી દાસે કન્ફ્રમ કરી છે. આ અભિનેત્રીએ “નીમા ડેનજોગપા” નામની સીરિયલમાં કામ કર્યું હતું. અભિનેત્રીનું નિધન થતા હાલ સમગ્ર ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભૈરવી વૈદ્યના નિધનની ખબરો સામે આવતા જ તેઓના સાથી કલાકારો તથા તેમના સ્ટારકાસ્ટમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે તેઓના પરિવારજનો તો દુઃખમાં ગરકાવ થયા હતા, મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ભૈરવી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી એવામાં, એવી ચર્ચા પણ થઇ રહી હતી કે તે છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પણ પીડાય રહી હતી, આ ખબરની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતું નથી કે અભિનેત્રીને કેન્સર હોય.

છેલ્લા 45 વર્ષોથી ભૈરવી વૈદ્ય એક્ટિંગ ફિલ્ડમાં છે, તેઓએ ગુજરાતી, હિન્દી તથા અનેક એવા ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકેલ છે. બૉલીવુડ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો ભૈરવી વૈદ્યએ અનિલ કપૂર તથા એશ્વર્યા રાયની ફિલ્મ “તાલ” તથા ચોરી ચુપકે ચુપકે ફિલ્મમાં પણ કામ કર્યું હતું જેને લઈને અભિનેત્રીની સારી એવી ખ્યાતિ થઇ હતી. એવામાં અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દેતા હાલ સૌ કોઈ શોકમગ્ન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *