Cli
કોળી સમાજમાં શોકની લહેર, લોકલાડીલા કોળી સમાજ યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા નું થયું કરુણ નિધન…

કોળી સમાજમાં શોકની લહેર, લોકલાડીલા કોળી સમાજ યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા નું થયું કરુણ નિધન…

Breaking

દેશભરમાંથી અકસ્માતમાં ઘણા બધા બનાવો સામે આવતા રહે છે ઘણા અકસ્માત એટલા ભંયકર હોય છે કે તેમાં કાર ચાલક સહીત અન્ય પેસેન્જર ના પણ જીવ જોખમ માં મુકાય છે અને તેઓ દુર્ઘટના નો શિકાર બનતા હોય છે એક ભુલ વાહન ચાલકો માટે રસ્તા પર જીવલેણ સાબીત થઈ શકે છે તાજેતરમાં એવો જ બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પાસે જ ગંભીર રીતે કાર અકસ્માત સર્જાયો હતો ભાવનગર જિલ્લા કોળી સમાજ ના યુવા પ્રમુખ લોકલાડીલા સમાજમાં ખુબ પ્રતિષ્ઠા ધરાવતા લોક સેવાના કાર્યો થકી ખૂબ ઉજળું નામ ધરાવતા હંમેશા સમાજના કાર્યોમાં અગ્રીમ સ્થાને રહી અને સમાજના દરેક કામોને

દિશા આપનારા એવા રાકેશભાઈ બારૈયા ટીંબી ગામની સીમ માં થી પોતાની કાર લઇને પસાર થઈ રહ્યા હતા એવામાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુરપાટ ઝડપે આવતી કાર રોડની બાજુમાં આવેલા ખાલી પડેલા તળાવમાં ખાબકી હતી કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો જેમાં સવાર રાકેશભાઈ બારૈયા ને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા.

તેમનું ઘટના સ્થળે જ કરુણ મો!ત નિપજ્યું હતું આ બનાવની જાણ થતાં જ ટીંબી ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાકેશભાઈ બારૈયા ની સ્થિતી જાણવાનો પ્રયત્ન કરતા તેમને મૃત હાલત માં જોઈ લોકોમા ફફડાટ વ્યાપી ગયો હતો આ ઘટના ની જાણ તરત કોળી સમાજના અન્ય.

આગેવાનોને કરતા ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ આનંદભાઈ ડાભી અને કાળુભાઈ જાંબુચા સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના વિવિધ સામાજિક કાર્યો કરતા કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે ઉમરાળા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી.

દુઃખદ બનાવની જાણ થતા પરિવારજનો સહિત કોળી સમાજમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી રાકેશભાઈ બારૈયા કોળી સમાજના એક યુવા આદર્શ અને પ્રેરણાસ્ત્રોત હતા તેઓ એ પોતાની નાની ઉંમરમાં માત્ર પરીવારજનો નહીં પરંતુ સમગ્ર સમાજનું નામ ઉજળું કર્યું હતું તેઓ.

હંમેશા પોતાના વ્યવસાય માંથી સમય કાઢીને સામાજીક કાર્યો ને માટે આગળ રહેતા હતા સમાજના ગરીબ પરીવારોની હક ની લડાઈઓ માં હમેશા તેઓ આગળ રહેતા આજે નાની ઉંમરમાં તેમનું આકસ્મિક નિધન થતાં સમાજમા શોકની લહેર પ્રસરી જવા પામી હતી સમાજનો એક કોહીનૂર ગુમાવ્યો એનું.

સમાજને ભારે દુઃખ હતું વિધીના કપરા લેખ આ અકસ્માત માં રાકેશભાઈ બારૈયા એ ઉજળા જીવન સાથે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવારજનો ને દુઃખ ની પરીસ્થીતી માંથી ઉભરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના ઓમ શાંતિ ઓમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *