Cli

‘એક્ટર્સ કે નેતા, કોઈએ મદદ નથી કરી’ રાજપાલ યાદવના ભાઈએ આર્થિક મદદના દાવાને નકાર્યા

Uncategorized

ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં ગયેલા એક્ટર રાજપાલ યાદવનો મામલો ગરમાવા લાગ્યો છે. રાજપાલની મદદ માટે સોનુ સૂદ અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક હસ્તીઓ આગળ આવી છે. જોકે, રાજપાલના મોટા ભાઈ શ્રીપાલ યાદવે આ સમાચારોનું ખંડન કર્યું છે.

વાતચીતમાં શ્રીપાલે દાવો કર્યો- ‘અત્યાર સુધી રાજપાલને કોઈએ આર્થિક મદદ કરી નથી. અમારા ખાતામાં એક પણ રૂપિયો આવ્યો નથી. કોઈએ ફોન કરીને પરિવારનો સંપર્ક પણ કર્યો નથી.’ તેમણે ગુસ્સામાં કહ્યું- ‘મારો ભાઈ બોલિવૂડમાં મહેનત કરી રહ્યો છે, કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યો. જ્યાં સુધી સોનુ સૂદે મદદ માટે કહ્યું છે, તો વિશ્વાસ છે કે તે મદદ કરશે.’રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના વતની છે. અહીં તેનું કુંડરા ગામમાં આલીશાન ઘર છે. એક વર્ષ પહેલા જ તેમના પિતા નૌરંગ લાલનું દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તે જાન્યુઆરી 2025માં પિતાના અંતિમ સંસ્કાર માટે શાહજહાંપુર આવ્યો હતો.

રાજપાલ યાદવે 2010માં એક ફિલ્મ બનાવવા માટે પ્રાઇવેટ કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ ફ્લોપ રહી અને સમયસર કંપનીને ચૂકવણી કરી શક્યો નહીં. કંપનીએ 2018માં કેસ કર્યો. આ જ મામલે રાજપાલ યાદવને જેલ થઈ છે. હવે હાઈકોર્ટે રાજપાલ યાદવને વધારાનો સમય આપવાનો ઇનકાર કર્યો છે. હવે વાંચો શ્રીપાલ યાદવ સાથે ખાસ વાતચીત…

‘જો મદદ કરી હોય તો જણાવો પૈસા ક્યાં આપ્યા’શ્રીપાલે કહ્યું- ‘જે વ્યક્તિ રાજપાલનું એકાઉન્ટ સંભાળે છે, તેણે પણ કોઈ આર્થિક સહાયતા આવી હોવાની પુષ્ટિ કરી નથી. જો કોઈએ મદદ કરી હોય, તો પૈસા ક્યાં આપવામાં આવ્યા? કોને આપવામાં આવ્યા? તેની જાણકારી પરિવારને કેમ નથી? જો ખરેખર કોઈએ સહાયતા કરી હોય, તો પરિવાર તેમનો આભારી રહેશે, પરંતુ જો ફક્ત સોશિયલ મીડિયા પર નિવેદનબાજી થઈ રહી હોય, તો તે ખોટું છે.’‘મારો ભાઈ મહેનત કરી રહ્યો છે, ભીખ નથી માંગી રહ્યો’શ્રીપાલે ભાવુક થતા કહ્યું કે, ‘મારો ભાઈ બોલિવૂડમાં મહેનત કરી રહ્યો છે, ભીખ નથી માંગી રહ્યો.

આર્થિક તંગીની જે વાતો ફેલાવવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી છે.’ તેણે સ્પષ્ટ કર્યું કે, ‘રાજપાલ યાદવ કામ કરી રહ્યા હતા અને તેમની આર્થિક સ્થિતિને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓમાં કોઈ સત્ય નથી.”જે રકમને દેવું કહેવામાં આવી રહ્યું છે, તે ખરેખર એક ફિલ્મ નિર્માણ માટેનું રોકાણ હતું. બીજા પક્ષે પોતાના દીકરાને ફિલ્મમાં રાખવાની વાત કહી હતી. પૈસા ફિલ્મના રોકાણ તરીકે આપવામાં આવ્યા હતા, ન કે દેવા કે વ્યાજ પર.’શ્રીપાલનો દાવો છે કે, ‘ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બીજા પક્ષે અસંતોષ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું અને પછી રોકાણની રકમને દેવું ગણાવીને મામલો બનાવી દીધો. રાજપાલ અત્યંત સીધા સ્વભાવના વ્યક્તિ છે. તેમણે વિશ્વાસમાં કાગળો પર સહી કરી દીધી. કાગળ વાંચ્યા નહીં. આને ભૂલ કહો કે તેમની સાદગી, પરંતુ ભરોસો વધારે હતો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *