લોકો કહે છે કે જે રાજકારણમાં જાય છે તેની ચામડી મગર જેવી થઈ જાય છે, એટલે બધું સહન કરવું પડે છે. નરેન્દ્રભાઈની તો મગર સાથે પણ દોસ્તી હતી. બાળપણમાં તળાવમાં ન્હાતા ત્યારે મગર સાથે સંપર્ક રહ્યો હતો. નરેન્દ્રભાઈને પૂછો તો પરિવાર વિશે બધું ખબર છે,
છતાં તેઓ પરિવારના મામલામાં ક્યારેય આવતાં નથી. તેમની પાસે તો માત્ર એક માતા છે, માતાને મળવા માટે જ તેઓ આવે છે. અમારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ દુખદ પ્રસંગ હોય, ક્યારેય ભાઈ આવતા નથી. વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. પરિવાર જેવી કોઈ વાત જ રહી નથી.