ધર્મ સિંહ દેઓલ – જેઓને આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્ર તરીકે ઓળખીએ છીએ। હા, ધર્મેન્દ્રનું સાચું નામ ધર્મ સિંહ દેઓલ હતું. ફિલ્મોમાં પ્રવેશ કર્યા બાદ જ તેમણે પોતાનું નામ ધર્મ સિંહ દેઓલમાંથી બદલીને ધર્મેન્દ્ર રાખ્યું હતું. પોતાના નામમાંથી “સિંહ દેઓલ” કાઢી નાખવાનો નિર્ણય તેમણે એક ઊંડા વિચાર સાથે કર્યો હતો। તેમનો વિચાર એવો હતો કે,
જ્યારે તેમના દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે, ત્યારે તેમને પોતાના નામ સાથે “સિંહ” લગાવવાની જરૂર ન પડે.એટલે જ ધર્મેન્દ્રએ પોતાનું નામ ધર્મ સિંહ દેઓલમાંથી બદલીને માત્ર ધર્મેન્દ્ર રાખ્યું હતું।પરંતુ ધર્મેન્દ્રએ પોતાના જીવનમાં ફક્ત એક કે બે નહીં, ત્રણ વખત પોતાનું નામ બદલ્યું હતું. પ્રથમ વખત તેઓ ધર્મ સિંહ દેઓલમાંથી ધર્મેન્દ્ર બન્યા। વર્ષો સુધી તેઓ ધર્મેન્દ્ર તરીકે જ જાણીતા રહ્યા અને સુપરસ્ટાર બની ગયા
પરંતુ 1970ના મધ્ય સમય દરમિયાન જ્યારે લગ્નિત ધર્મેન્દ્રને હેમા માલિની પ્રત્યે પ્રેમ થયો અને તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમનો “ધર્મ” આડે આવ્યો.કારણ કે ધર્મેન્દ્ર પહેલેથી જ પ્રકાશ કૌર સાથે લગ્નિત હતા અને તેમને તલાક આપવું નહોતું ઈચ્છતા।હિંદુ ધર્મમાં બે લગ્ન કરવાની મંજૂરી નથી, તેથી હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ધર્મ બદલી દીધો અને તેઓ દિલાવર ખાન બની ગયા.એટલું જ નહીં, હેમા માલિનીએ પણ પોતાનું નામ બદલીને આયશા બી. આર. ચક્રવર્તી રાખ્યું હતું.ત્યારે સુધી ધર્મેન્દ્ર દિલાવર ખાન તરીકે જ રહ્યા
જ્યાં સુધી તેમનું હેમા માલિની સાથેનું લગ્ન કાયદેસર ન થયું. ત્યારબાદ તેમણે ફરીથી પોતાનું નામ ધર્મેન્દ્ર રાખ્યું અને ફિલ્મોમાં એ જ નામથી ઓળખાયા।છેલ્લાં થોડાં વર્ષોમાં ધર્મેન્દ્રએ અનુભવ્યું કે તેમને તેમના માતા-પિતાએ જે નામ આપ્યું – ધર્મ સિંહ દેઓલ, તે જ તેમની સાચી ઓળખ છે.ફિલ્મો માટે “ધર્મેન્દ્ર” નામ અપનાવ્યું હતું, પણ હવે લોકો તેમના મૂળ નામથી પણ તેમને ઓળખે એ તેમની ઈચ્છા હતી
તેથી તેમની છેલ્લી ફિલ્મ “તેરી બતો મેં ઊલ્જા જીયા” (શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત) માં તેમને ધર્મેન્દ્ર નહીં, પણ ધર્મ સિંહ દેઓલ તરીકે ક્રેડિટ આપવામાં આવ્યો હતો – આ નિર્ણય પોતે ધર્મેન્દ્રનો જ હતો. અટલેએ કહી શકાય કે ધર્મેન્દ્રએ પોતાના જીવનમાં ત્રણ વખત નામ બદલ્યું –1. ધર્મ સિંહ દેઓલ – ધર્મેન્દ્ર 2. ધર્મેન્દ્ર – દિલાવર ખાન. 3.દિલાવર ખાન – ફરીથી ધર્મ સિંહ દેઓલએક એવી સફર જેમાં નામ બદલાતાં રહ્યાં, પણ ઓળખ કદી ન બદલાઈ – ધર્મેન્દ્ર હંમેશાં દિલના હીરો રહ્યા
૨૦૦૪માં, લોકસભા ચૂંટણી દરમિયાન, ધર્મેન્દ્રના કથિત ઇસ્લામ ધર્મ પરિવર્તનની અફવાઓ ફરી ઉભરી આવી હતી. કોંગ્રેસના નેતાઓએ ધ્યાન દોર્યું હતું કે તેમના ચૂંટણી સોગંદનામામાં, ધર્મેન્દ્રએ ફક્ત તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરની સંપત્તિ જાહેર કરી હતી અને હેમા માલિનીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, ત્યારે વિવાદ ફરી શરૂ થયો હતો. તે જ સમયે, આઉટલુક મેગેઝિને હેમા સાથેના તેમના નિકાહનામા (ઇસ્લામિક લગ્ન દસ્તાવેજ) ની ફોટોકોપી પ્રકાશિત કરી હતી, જેનાથી અટકળોમાં વધારો થયો હતો.
એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ ઈન્દોરની કોર્ટમાં નિકાહનામા અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં બિકાનેરના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર પર દ્વિપત્નીત્વનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, અને કાયદેસર રીતે તેમના લગ્ન વિધિ કરવા માટે દિલાવર ખાન અને આયેશા નામ અપનાવ્યા હતા, કારણ કે હિન્દુ કાયદા હેઠળ બીજા લગ્નની પરવાનગી નથી.