ભારત માંના વીર સપૂત ગ્રુપ કેપ્ટન વરુણસિંહ આજે આપણા વચ્ચે રહ્યા નથી આ વાતનો ખુલાસો કર્યો છે ભારતીય વાયુ સેનાએ ભારતીય વાયુ સેનાએ પોતાના ટવીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે ભારતીય વસા યુસેનાના બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ના નિધનના સમાચાર આપતા બહુ દુઃખ થઈ રહ્યું છે.
વરુણસિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થવાના કારણે તેમનું આજે સવારે 8 ડિસેમ્બરના રોજ નિધન થઈ ગયું છે ભારતીય વાયુસેના સવેંદના વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છીએ મિત્રો બહુ દુઃખની વાત છે પુરા દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દેશને હતું કે તેમને સારું થઈ જશે પરંતુ અચાનક નિધનના દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે.
તમલિનાડુના કુન્નુરમાં થયલે દુર્ઘટનામાં એક માત્ર કેપ્ટન વરુણસિંહ બચી ગયા હતા જેમની દેશને આશા હતી કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં હકીકતમાં શું થયું હતું તેઓ જણાવશે પરંતુ હવે એમનું નિધન થતા એમના પરિવાર તથા પૂરા ભારત દેશના લોકો અત્યારે દુઃખની હાલતમાં છે અને આંખોમાં આંશુ છે.
ગ્રુપ કેપ્ટન વરુણસિંહની સારવાર ચાલી રહી હતી એમને ગઈ કાલે તબિયત સારી હતી તેવા સમાચાર આવ્યા હતા પરંતુ આજે અચાનક નિધનના સમાચાર આવ્યા છે આજે આપણે એક વધુ ભારતીય આર્મીનો જવાન ખોઈ દીધો છે ગ્રુપકેપ્ટન વરુણસિંહની આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.