Cli

અલ્લુ અર્જુનની 2020માં આવેલી સુપરહિટ ફિલ્મ આલા વૈકઠુંપુરમલૂ હિન્દીમાં રિલીઝ થશે કે નહીં તેના પર મનીષ શાહે લીધો નિર્ણય …

Bollywood/Entertainment Breaking

અલ્લુ અર્જુની સાઉથ ફિલ્મ આલા વૈકઠુંપુરમલૂ ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ નહીં થાય કાર્તિક આર્યનની શહજાદાના પ્રોડ્યુસર અને ફિલ્મ નિર્માતા મિનિશ શાહે લાંબી વાતચીત દરમિયાન આ ફેંશલો લીધો છે અલા વૈકઠુંપુરમલૂની હિન્દી રીમેક અત્યારે કાર્તિક અયનની શહેજાદા બની રહી છે એવામાં અલ્લુ અર્જુનની એ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવામાં નહીં આવે.

આલા વૈકઠુંપુરમલૂના હિન્દી વર્ઝનના રાઇટ્સ મનીષ શાહ પાસે છે મનીષ પાસે શહેજાદાના હક્કો પણ છે અને બંનેને અલ્લુ અરવિંદે મનીષ શાહને વેચી દીધા છે અલ્લુ અરવિંદ ભૂષણ કુમાર અને અમન ગિલ કાર્તિક આર્યનના શાહજાદાના સહ-નિર્માતા છે અભિનેતા કાર્તિક આર્યન તેની રીમેક બનાવી રહ્યા છે તેમને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મ આલા વૈકુંઠપુરમલુ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ તે સમયે તેલુગુમાં સુપરહિટ સાબિત થઈ હતી બે વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ આલા વૈકુંઠપુરમલુ એ લગભગ 150 કરોડની કમાણી કરી હતી ફિલ્મની સફળતા જોઈને ફિલ્મ આલા વૈકુંઠપુરમલુ હિન્દીમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અલ્લુ અર્જુનની આ સુપરહિટ ફિલ્મનું હિન્દી વર્ઝન 26ના દિવસે રિલીઝ થવાનું હતું પરંતુ હિન્દી વર્ઝનમાં ફિલ્મ રિલીઝ ન થવાના સમાચારથી ચાહકો દેખીતી રીતે નિરાશ થયા હશે અહીં કાર્તિક આર્યનની તે ફિલ્મની રીમેક બની રહી હોવાથી મનીષ શાહે નિર્ણય લીધો છેકે હવે અલ્લુ અર્જુનની એ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *