Cli

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત થતા દેઓલ પરિવારમાં ખુશીનો માહોલ!

Uncategorized

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત થતા દેઓલ પરિવાર ખુશીથી ગદગદ થઈ ગયો છે. આ સન્માન પર હેમા માલિનીએ ગર્વ વ્યક્ત કર્યો છે. લાંબા સમય બાદ ડ્રીમ ગર્લના ચહેરા પર ફરી એકવાર ખુશીની સ્મિત જોવા મળી છે. દીકરીઓએ પિતાને યાદ કર્યા છે, જ્યારે સની અને બોબીની આંખો પણ ભીની થઈ ગઈ હતી.બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરી 2026ની સાંજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં દિવંગત અભિનેતા ધર્મેન્દ્રનું નામ સામેલ છે.

આ જાહેરાત બાદ તેમની બીજી પત્ની હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તેમને અત્યંત ગર્વ અનુભવાઈ રહ્યો છે.હેમા માલિનીએ ધર્મેન્દ્રની એક તસવીર શેર કરતા લખ્યું કે સરકાર દ્વારા ધર્મજીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા અપર યોગદાનને માન્યતા આપી તેમને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, તે તેમના માટે ખૂબ ગૌરવની વાત છે.ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનું ગયા વર્ષે 24 નવેમ્બરે 89 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. છ દાયકાથી વધુ લાંબા અને શાનદાર કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાની અમિટ છાપ છોડી છે. હવે સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ વિભૂષણ દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે. તે પહેલાં 14 વર્ષ પહેલા તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.છ દાયકાના પોતાના લાંબા ફિલ્મી સફરમાં ધર્મેન્દ્રે એક્શનથી લઈને રોમાન્સ સુધી દરેક પ્રકારના પાત્રો ભજવ્યા અને દર્શકોની અપેક્ષાઓ પર સંપૂર્ણપણે ખરા ઉતર્યા. તેમની હિટ ફિલ્મોની યાદીમાં સીતા ગીતા, શોલે, યાદોં કી બારાત, ચુપકે ચુપકે અને ધ બર્નિંગ ટ્રેન જેવી અનેક યાદગાર ફિલ્મો સામેલ છે.

ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ 21માં નજરે આવ્યા હતા, જે તેમની મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે અગસ્ત્ય નંદાના પિતાનો પાત્ર ભજવ્યો હતો. તેમનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા નજીક આવેલા નાના ગામ નસરાલી ખાતે થયો હતો. એક સામાન્ય ખેડૂત પરિવારથી આવતા ધર્મેન્દ્રએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ બોલીવૂડના સૌથી લોકપ્રિય હીરો બની જશે.1960માં આવેલી ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે દ્વારા તેમણે બોલીવૂડમાં પગલું મૂક્યું હતું. ત્યારબાદ 1966માં આવેલી ફિલ્મ ફૂલ ઔર પથ્થરે તેમને વિશેષ ઓળખ અપાવી, ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. અનુપમા ફિલ્મમાં તેમનું કામ પણ ખૂબ પ્રશંસિત થયું હતું.

ધર્મેન્દ્રે બે લગ્ન કર્યા હતા. પહેલું લગ્ન 1954માં પ્રકાશ કૌર સાથે અને બીજું 1980માં હેમા માલિની સાથે કર્યું હતું. તેમને કુલ છ સંતાન છે. પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજીતાના જન્મ થયો હતો, જ્યારે બીજી પત્ની હેમા માલિનીથી ઈશા દેઓલ અને અહાના દેઓલ નામની બે દીકરીઓ છે.ધર્મેન્દ્ર ઉપરાંત દિવંગત અભિનેતા સતીશ શાહ, ગાયિકા અલકા યાજ્ઞિક અને સાઉથના સુપરસ્ટાર મમૂટીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે પદ્મશ્રી પુરસ્કારમાં અરવિંદ વૈદ્ય, રાજેન્દ્ર પ્રસાદ, આર માધવન અને પ્રસંજીત ચેટર્જીના નામો પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *