કહેવાય છે કે પારિવારિક સંબંધો ખૂબ જ અનમોલ હોય છે એક જ મા બાપના બે સંતાનો વચ્ચે ઘણીવાર જોવા મળે છે તો ઘણીવાર સંપત્તિને લઈને ઝઘડતા જોવા મળે છે પરંતુ અહીંયા મામલો બે ભાઈઓના નિસ્વાર્થ ભાઈચારાનો સામે આવ્યો છે આ દુઃખદ ઘટના પાટણમાંથી સામે આવી છે જ્યાં મોટા ભાઈના.
મો!તના સમાચાર સાંભળતા નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું સમગ્ર ઘટના અનુસાર પાટણ જિલ્લાના લોટેશ્વરમાં રહેતા રામલાલ કાંતિલાલ પટેલને ચાર દીકરાઓ હતા અરવિંદભાઈ પ્રકાશભાઈ દિનેશભાઇ અને હિતેશભાઈ જેમાં થી મોટાભાઈ અરવિંદ અને ત્રીજા નંબરનો ભાઈ દિનેશ પાટણની રાણકી વાવ નજીક.
દ્વારીકા હોમ સોસાયટી માં રહે છે અને તેઓની માર્કેટ યાર્ડ માં શ્રીરામ ફર્ટીલાઈઝર નામની દુકાન આવેલી છે જ્યાં બંને ભાઈઓ સાથે જ બેસતા તાજેતરમાં અરવિંદ ભાઈ પટેલ નાગરીક શાખા બેકંમા ચેક જમા કરાવવા ગયા હતા અને તેઓ પરત પાછા આવી રહ્યા હતા આ દરમિયાન અચાનક તેમને હદ્વય રોગનો હુમ!લો આવતા.
તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને સમગ્ર ઘટના સીટી સીવી કેમેરામાં કેદ થઈ ચૂકી હતી તેમના હોસ્પિટલમાં તરત લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું નિધન થયું હતું અરવિંદભાઈ ની આ ખબર સાંભળતા દિનેશભાઈ દુકાનેથી પરત આવી ઘેર પહોંચ્યા તેમનો પરિવારજનો એવો દિલાસો આપી રહ્યા હતા કે બધું સારું થઈ જશે.
પરંતુ આ સમયે દિનેશભાઈ આ દર્દને સહન કરી શકે નહીં અને તેમની છાતીમાં ગભરામણ થવા લાગ્યું અને તેઓ પણ જમીન પર પડી ગયા તેમના હોસ્પિટલમાં લઈ જતા તેમનુ પણ નિધન થતાં પરીવારજનો માં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા બે ભાઈઓ ના મૃતદેહ એક સાથે હતા બંને ભાઈઓ ની અંતીમ યાત્રા એક સાથે નીકડી પરીવારજનો માં દુઃખના કાળા વાદળો ઘેરાયા હતા.
અરવિંદભાઈ ની ઉંમર 49 વર્ષ હતી તો દિનેશભાઇ ની ઉમંર 45 વર્ષ બંને પરણીત હતા અરવીદંભાઈ ની 25 વર્ષની દિકરી જેના તાજેતરમાં લગ્ન યોજાયા હતા તો 21 વર્ષનો દિકરો પણ છે તો દિનેશભાઇ નો પણ 19 વર્ષીય દિકરો છે જે સંતાનો એક સાથે નોંધારા બન્યા હતા સમગ્ર વિસ્તારમાં દુઃખ આપે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.